SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ સિદ્ધાંતને આધારે જ નિર્ણય કરે જોઈએ. બહુમતી કયા પક્ષે છે અથવા એને કયો સિદ્ધાંત સાચે અને બુદ્ધિપૂર્વકને લાગે છે એ વાતને કેવળ અપ્રસ્તુત ગણી કાઢવી જોઈએ.” કે, હાઇસ્કૂલ, જામકંડોરણ-૩૬૦૪૦૫ નોંધઃ અદાલતમાં આવા સાંપ્રદાયિક મુકદ્દાઓમાં કયા પક્ષનો વિજય થયો અને કયા પક્ષને પરાજ્ય થશે એનું મહત્વ અમને નથી લાગતું. આ વિષય નથી અદાલતને કે નથી વકીલોને, એ તે સાંપ્રદાયિક પ્રણાલીને છે, એટલે શ્રી વડતાલની ગાદીને વિજય થયો તેમ બોચાસણને શાસ્ત્રીજી મહારાજનો વિજય થયો હોત તે એને પણ કઈ અર્થ નહે. આના મૂળમાં તે સાંપ્રદાયિક પરિપાટીમાં અને સિદ્ધાંતમાં જયારે જયારે સુધારાના સંયોગ ઊભા થાય છે ત્યારે સંપ્રદાયમાં જુદા ફિરકા ઊભા થાય છે. વિદ્રક હિંસામય યજ્ઞપરિપાટીની સામે પાંચરાત્ર-સાત-ભાગવત સંપ્રદાય અને એના પછી થોડા જ સમયમાં બૌદ્ધ સંપ્રદાય તથા જૈન સંપ્રદાય કેવી રીતે ઊભા થવા ? શ્રી કરાચાર્યજી કેવી રીતે અગ્ર ભૂમિકામાં આવ્યા ? એમના સિદ્ધાંતોની સામે શ્રી રામાનુજાચાર્યજી શ્રી.વેણુ વામી શ્રીનિંબાર્કચાર્ય શ્રીમદચાર્યજી શ્રી વલ્લભાચાર્યજી કેવી રીતે આગળ આવ્યા ? શ્રીસંપ્રદાયમાંથી જ શ્રીરામાનંદસ્વામી કેવી રીતે છૂટા પડવા ? બીમપાયાના સિદ્ધાંતના વિકાસમાં શ્રીગૌતન્ય મહાપ્રભુજી કેવી રીતે અલગ તરી આવ્યા ? શ્રી રામાનુજય દતસદ્ધાંતને આદર કરનારા શ્રી સહજાનંદ સ્વામી કેવી રીતે આગળ આવ્યા ? યુરોપમાં કલિકાની સામે પ્રોટેસ્ટ-ટા અને ઇસ્લામમાં શિયા તથા સુની અને સુન્નીએ માંથી કાદિયાની–એહમદિયા તથા ઈસ્માઈલી ઓ અને દાઉદી વોરાએના સંપ્રદાય કેવી રીતે અલગ થવા ? આ બધી સમયની માંગ છે. શ્રી હનન સામી ખૂબ ઉદારમતવાદી હતા અને ઈટ તરીકે નરનારાયણ ઉપરાંત શ્રીશંકરને તરફ પણ એટલા જ આદરથી જોતા હતા. આપી આપણા ભારતીય સંપ્રદાયમાં “આયાર્યમાં વિજાનીયાત-ભગવાન કહે છે કે આચાર્યને માટે સ્વરૂ૫ માન” એ દૃષ્ટિએ સંપ્રદાયસ્થાપકેને ભગવાનના અવતાર માનવામાં આવે એ અસ્વાભાવિક નથી. ઈતિહાસના વિદ્યાર્થીને તે પોતાની સામે પ્રમાણુથ તરીકે રજૂ કરવામાં આવતે તે તે ગ્રંથ પોતે કેટલો પ્રમાણસિદ્ધ છે એની કસોટી કરવાની હોય છે. આને કારણે નવા રચવામાં આવેલા ગ્રંથની ચકાસણી કરવાની હોય છે. આ તરફ શ્રદ્ધા અને ભાવનાથી જેવું એ એક વાત છે અને ઈતિહાસની દૃષ્ટિએ જોવું એ બીજી વાત છે, સાંપ્રદાયિક આંતરિક ઝઘડાઓને અદાલતમાં લઈ જવા એ સ્વયં ઘેરી સાંપ્રદાયિકતા છે, જેને આજની વીસમી સદીમાં હારયાસ્પદ ગણવામાં આવે છે. જેને જે માનવું છે તે માનવાને અધિકાર છે, શાણા સમાજે તે જે ગળે ઊતરે તેવું હોય તે બરબર, બાકીનું અગ્રાહ્ય, એનાથી આગળ જઈ એકબીજાની નિંદામાં પડવાને કોઈ અર્થ નથી, દિવાલ વડેદરાના એક વિદ્યાવ્યાસંગી તરફથી શુભેચ્છા પથિક-દીપિન્સવાદ]. ૧૯૮૯ ક.-નવે, For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy