SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્થિક ડિસેમ્બર ૮૫ ': પથ છે. કાલની ગુફા ઊંડી છે. ગુફાના પ્રવેશ ઉપર વચ્ચે શિ૯ મંડિત મેરી ચત્યબારી ને બંને બાજુ સુંદર નાની સૈન્યબારી છે, જે ગુફામંડપને બારથી શોભા અને અંદર પ્રકાશ આપે છે. કાલ સૂપ બુદ્ધતિને દર્શાવે છે. આ ગુફામાં મથુરાની કુષાણસેલી બીજી સદીની શરૂઆતની દેખાય છે. દક્ષિણમાં અજિડાની જગપ્રસિદ્ધ ગુફામંડપની સમૃદ્ધિ ઈ. પૂ. ૨૦૦ થી ઈ. સ. ૭૫૦ ને સમય દરમ્યાન બદ્ધ સાધકે એ સજેલી છે. વાધોર નદીના કાંઠે ૨૬ ” ઊંચી ચંદ્રાકાર ખડકાળ ભેખડમાં ગુફાઓ યુગે યુગે ગતરાતી ગઈ છે. કલાસમૃદ્ધ ૨૯ ગુફા મંડપ સ્થાપત્ય શિપ અને ચિત્રકલાના ભવ્ય ભંડાર છે. આ ગુફાઓમાં નં. ૯, ૧૦, ૧૯, ૨૬, ૨૯ એ ચો છે, બાકીના વિહારસભામંડપ છે. શરૂઆતની ગુફાઓ થયા બાદ વચ્ચે લગભગ ચાર વર્ષ ગુફામ ડપે કરવાની પ્રવૃત્તિ અટકી પડી હતી. ગુપ્તકાલમાં ફરી એ સુભગ કાર્ય ચાલુ થયું તેમાં ગુપ્ત ચિત્ર-શિપ-કલાસંસ્કાર દેખાયા. નં. ૧૦, ૧૯, ૨૬ ની ગુફાઓમાં એ ઉન્નત કલાનાં દર્શન થાય છે. ગુફા નં, ૧૯ ના દ્વાર પર યક્ષ, ગવાક્ષામાં બુદ્ધમૂર્તિએ, ત્યબારીશિપમાં માનવ કે યમુખ મૂકવાની રીત ને અંદર પૂ૫ ઉપર અભયમુદ્રામાં બુદ્ધ અનન્ય છે. ગુફા ૧ની સ્તંભની કતરણી અને બોધિસત્વ અવલોકિતેશ્વર ૫ મી સદીનાં શિ૯૫ છે. ગુફા નં. ૧૭ ને ચિત્રભવ તથા ગુફા નં. ૨૬ માં પરિનિર્વાણમાં સૂતેલા બુદ્ધ પણ એ સમયની ગુપ્તશલીના છે. સિલેનમાં અનુરાધાપુર ને સિગિરિયા સુધી આ અજિઠાની કલાની અસર પચી, સિલોનમાં રાજ કપે પાંચમી સદીના ઉત્તરાર્ધમાં ૬૦૦' ઊંચી સિગિરિયાની કરીને શિલ્પ-ચિત્રથી અલંકૃત કરાવી કૈલાસનું રૂપ આપ્યું. અફઘાનિસ્તાનની બુદ્ધિપ્રતિમા પણ પાંચમી સદીનું સર્જન છે. અજિંઠાના ભીંતચિત્રની અસર ભારતવર્ષમાં મધ્યપ્રાંતની બાઘની ગુફાનાં ભીંતચિત્રોમાં તેમજ દક્ષિણમાં ત્રિકમ અને પદ્મનાભપુનમનાં ભીંતચિત્રોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ગકામડપોમાં શિરમોર તે ઇલોરાના શિલ્પકલામંડપમાં કલાસનાથ-મંદિર છે, જે ઈ. સ. આઠમી સદીમાં રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજ પહેલાએ પૂરું કર્યું. રાષ્ટ્રકૂટ-સમ્રાટોએ આ કામ હાથમાં લીધું હતું, આખું હિંદશિવમંદિર-મહામેરુ પ્રાસાદ જાણે વાસ્તુશાસ્ત્રનાં સૂત્રો અનુસાર બાંધેલ હોય તેવું આ ઈલોર-કલાસ ગુફામંદિર છે. આ મંદિર એક પછી એક શિલા ઘડીને થર ઉપર થર લઈને ચણેલ નથી, એ અંદરથી ખોદી કાઢી ને ટચી કંડારી આખું ગુફામંદિર કોતરાયેલું અનન્ય-સ્થાપત્ય છે. મૂળ ભારે વિશાળ ખડકની ચદાનમાંથી વિશાળ ખડકખંડ જુદે પાડી, પછી એમાં ઉપરથી અને અંદરથી કોરી કાઢી સુંદર શિ૯૫મંડિત મહાપ્રાસાદ ખડા કરેલ છે, જે ૧૫૦' 'ચે છે. મંદિરની જગતપીઠ ઉપર સુંદર શિલ્પવાળા ભીતિયા સ્તંભેવાળો મડવર, મંડપનાં છાઘ, શિખર વગેરેની બાંધણી જેવી શિલ્પકલા એ સર્વ એટલું બધું સુડોળ છે કે આ પ્રાસાદ ઊંચે છતાં બેઠેલે ભવ્યતામાં સૌંદર્ય વધારે લાગે છે. પીઠના ગજથરના હાથી જીવંત નાને હાથી લાગે છે. મંદિરના મુખમંડપની બંને બાજ બહારના ભાગે જુદા જ ઊંચા એક જ પથરના વિશાળ ચેરસ કીર્તિસ્તંભ કે દીપસ્તંભ છે, જે શિ૯૫મંડિત છે. કૈલાસનાથ-મંદિરને ફરતાં મૂળ ખડકનાં ભીંતડાંઓમાં પણ નાના મંડપ છે, જેમાં શૈવસંપ્રદાયનાં શિ૯૫ છે. અન્ય ગુફામંડપમાં શિવપાર્વતીના વિવાહ, રાવણનું તપ, કૈલાસને ડગાવવાની રાવણની ચેષ્ટા, એ સુંદર શિપધન છે. કૈલાસ ડગતાં પાર્વતીજી ચંચળતા દાખવે છે, જ્યારે શિવજી શાંત સ્થિર ભાવે નિર્લેપ મુદ્રામાં બેઠા છે; આ ભાવ શિપમાં ઉતાર્યો છે. આ સિવાય સપ્તમ તકાએ મહિષાસુરમદિની દુર્ગા વગેરે ઘણાં સુંદર સબળ શિ૯૫ અહીં ઈલેરાની ગુફા મંડપમાં છે. મંડપના સ્તંભ પર શેલનસામગ્રીમાં મોર લતા ફૂલપાંદડી વગેરેનાં સુંદર ખાસ પ્રકારનાં શિ૯૫ અહીં છે. અહીંની શિલ્પકલા ઉપર For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy