________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ મો]
ધર્મનું પેય :: જીવનની સર્વાગી શુદ્ધિ.
૧૮૩
દાક્ષિય-સર્વને અનુકૂલ વર્તન રાખવું તે. આનો અર્થ હાજી-હાપણું નથી; કે એક ટોળી જમાવી, તેના સભ્યો કરી સૌને તેના આદેશ પ્રમાણે વર્તવાનું કહેવું, એ ૫ણું નથી. આને અર્થ તો એ છે કે આપણું સ્વાર્થના ભાગે બીજાઓનાં કામ કરી આપવા અને આવાં કામ કર્યા હોય તો ઉછુંખલતાથી બહાર જાહેર ન કરવાં, પરંતુ ગંભીરતાપૂર્વક તે બાબત મૌન સેવવું અને કર્યું ન કર્યા પ્રમાણે જાણીને વર્તવું. તેમજ કોઈને મદદ કરવાનું માથે લીધું હોય તે વિકટ પ્રસંગ જણાતાં ખસી જવાને પ્રયાસ ન કરતાં વૈર્યા દાખવીને તે કામ સાંગોપાંગ ઉતરે તેવા સધળા પ્રયાસ કરવા.
આવી દાક્ષિણ્યતા કેળવી હોય તો પાપણી આસપાસ જે ક્ષુલકતા નિહાળીએ છીએ, તે જોવાને પ્રસંગ કદી પણ આવે નહિ.
પાપજીગુસા-પાપ એટલે હિંસા, અસત્ય, ચેરી, વગેરે નિંઘ આચરણ અને જુગુપ્સા એટલે ઘણા કે નફરત. જો આવી ઘણુ-આવી નફરત આ૫ણુમાં પ્રકટે તો કેટકેટલાં દુખે ઓછા થાય અને જીવન કેવું સારિક બને, તે આપ સવે વિચારી જશે.
નિર્મલ-બોધ– શાંત રસપ્રધાન તરોનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન. આ એક પ્રકારનો માનસિક સતસંગ થયો અને તે કેળવાય એટલે જીવનમાં કેટલી સરલતા પ્રકટે તે સમજી શકાય તેવું છે.
જનપ્રિય લોક નિંદે તેવું આચરણ કરવું નહીં. આના ઉપર ખાસ ભાર મૂકાયો નથી, કારણ કે એને આધાર લોકસમૂહ કેવા પ્રકાર છે અને તે કયા સંજોગોમાં વતે છે. તેના ઉપર રહેલો છે.
આ પ્રમાણે ચાર લક્ષણો ગુણ માપવાનાં ખાસ યંત્ર જેવાં છે અને પાંચમું લક્ષણ વિવેકથી વાપરવા જેવું છે. આ લક્ષણોને દૃષ્ટિ સમક્ષ રાખીને આત્મનિરીક્ષણ કરી જશે કે ગતવર્ષોમાં આપણે કેટલે ધર્મ સિદ્ધ કરી શકયા છીએ.
સદૂગુણની ઉપાસના. સદ્દગુણોના ઉપાસકને સલુણામાં જ તૃપ્તિ રહે છે, તે માટે બીજાઓ તરફથી માનપ્રતિષ્ઠા મેળવવાની તે કદી ઈચ્છા રાખતા નથી. સદ્ગુણ આપણો સ્વભાવ બન્યો છે કે નહિ તે ઓળખવાની આ મહત્વની નિશાની છે. પિતાના સગુણ વિષે કંઈક વિશેષતા લાગવી ને તેથી અહંકાર છે, તેને લીધે બીજાઓને તુચ્છ માનવા-આ બધી ક્ષુદ્ર મનોવૃત્તિઓ છે અને તે ગમે ત્યારે પતનનું કારણ બને છે.
સામાજિક જીવન ક્ષુદ્ર, વિકારમય અને સ્વાર્થ પરાયણુ ન સેવીએ અને પારમાર્થિક જીવન પુરુષાર્થહીન અને જ્ઞાનહીન ન સેવીએ તે આપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેમાં વિવેકશુદ્ધ અને પુરુષાર્થ યુક્ત જીવન ગાળ્યાને લહાવો લઈ શકીએ.
જીવન વિષેના કોઈપણ ઉદાત્ત બેય વગર આપણું આયુષ્ય પસાર થઈ રહ્યું છે, તે ઘણું દુઃખદ છે. તેથી આપની પાસે ઉપર પ્રમાણે વિચારો રજૂ કર્યા છે. જો આપણે આ
For Private And Personal Use Only