________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नूतन वर्ष
URBHUTNER
વિક્રમ સંવત ૨૦૦૪ ના નુતન મંગળમય પ્રભાતે “શ્રી જૈનધર્મ પ્રકાશ” ત્રેસઠ વર્ષની વય વ્યતીત કરી ચોસઠમા વર્ષમાં પ્રવેશ કરે છે. માસિકનું આટલું લાંબું આયુષ્ય એક સદ્ભાગ્ય છે. તેનું ખરેખરું માન સદગત શેઠશ્રી કુંવરજીભાઈને ઘટે છે. તેમનો સ્થળ દેહ વિલય પામ્યા છતાં તેમનો અમર આત્મા માસિકને તથા આ સંસ્થાને પ્રાણ પૂરી રહ્યો છે.
વ્યતીત વર્ષ આર્યાવર્તન ઇતિડાસ" અદ્વિતીય સ્થાન બળવે છે. લાંબા સમયની કઠીન તપશ્ચર્યા પછી હિંદ આઝાદ બન્યું છે. હિંદ આપણે સ્વતંત્ર દેશ છે, તેના આપણે માલેક છીએ અને તેનું ભાવી ઘડવાનું હવે આપણા હાથમાં છે તે આપણે અભિમાનથી કહી શકીએ છીએ.
ગત વર્ષમાં બનેલ રાજકીય ઘટનાને વિચાર કરતાં પહેલાં આપણા જૈન સમાજ અને જૈનધર્મને સ્પર્શતી ત્રણ ચાર બાબતોનું વિહંગાવલોકન કરીએ. તેમાંની પહેલી એક બાબત આપણું સુપ્રખ્યાત શ્રી કેશરીયાજી તીર્થના ડિવટ અને ઉદેપુર રાજ્યના તેના ભંડાર ઉપર થયેલ હસ્તક્ષેપને લગતી છે. ઉદેપુર રાજગે નીના ભંડારમાંથી પોતાની સ્વમુખત્યારીથી શ્રી જૈન સંઘની સંમતિ વિના પંદર લાખ જેવી મોટી રકમ કાઢી લઈ વિશ્વવિદ્યાલયમાં વાપરવાની જાહેરાત કરી હતી. શ્રી કેશરીયાજી તીર્થના વહિવટકર્તાઓએ અને સંઘે આ સામે સખ્ત વિરોધ કર્યો હતો. કોઈ પણ રાજ્યને જૈન મંદિરના દેવદ્રવ્યને ગમે તે રીતે ગમે ત્યાં વાપરવાનો અધિકાર નથી એ સકલ જેસંઘ તરફથી વાંધા રજૂ કરવામાં આવે કને, પરિણામે ઉદેપુર રાયે પોતાની જાત ખેંચી લીધી હતી અને ઝઘડાને શાંતિથી ઉકેલ થઈ ગયે હતા. આવા બનાવ ઉપરથી શ્રી જૈન સંઘ અને મંદિરે તથા તીર્થોના વહીવટકર્તાઓએ કેટલોક બોધ લેવા જેવો છે. દેવદ્રવ્યને નામે લાખ રૂપિયાની મિકકત આપણે એકઠી કરતા જઈએ, તે મિલકતનો સમજપૂર્વક કાંઈ ઉપયોગ ન કરીએ તે આ સમયમાં લાંબો વખત નભી શકે તેવું નથી. ખરૂં જતાં તે જોઈએ તેટલી મિટત રાખી બીજા દ્રવ્યને બીજા ઉપયોગી મંદિર બાંધવામાં કે તીર્થોના ઉદ્ધારમાં ઉદાર હાથે વ્યય થા વોઈએ. જેને શાસ્ત્રમાં સાત ક્ષેત્રો બતાવ્યા છે, અને તેમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને પલવિત કરવાનું ફરમાવ્યું છે. એટલે કુશળ કૃષિકાર(ખેડુતોની માફક દાનનો પ્રવાડ પણ સુકાતા
For Private And Personal Use Only