________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ને ] મુનિથી કરવજયજી મહારાજનાં કેટલાંક સંરમરગા. ૩૦૧ શહેના રસ્તા ઉપર પોતાની ફેરવીને દાન કરવાની જગ્યાએ પહોંચ્યા હુતા અને વિધિપૂર્વક પૂર્ણ ગમગીની સાથે અગ્નિસંસ્કાર કર્યો હતો. પાલિતાણાના લોકોએ હડતાળ પાડી હતી. ગરીબોને અન્નદાન વહેંચાયા હતા. મૂંગા ઢોરોને ઘાસચારો, કપાસીયા અને બાળ નખાયા હતા.
મહારાજશ્રીને શત્રુંજય ઉપર અથાગ ભાવ હતા. ખરા ઉન્ડાળામાં ઉઘાડે પગે નીચી નજર રાખી ડુંગરા પર જતા-આવતા જેઓએ મહારાજશ્રીને જોયા હશે તેઓને જ તેમના શત્રુંજય પ્રત્યેના ભાવનો કંઈક ખ્યાલ આવી શકે. છેલ્લા એકાદ બે વર્ષથી શારીરિક દુર્બળતાના કારણે પોતે ડુંગર ઉપર ચડી શકતા ન હતા પણ હંમેશ તળાટી સુધી જઈ સિદ્ધગિરિના દર્શન કરતા હતા. સિદ્ધગિરિના સાનિધ્યમાં પિતાને દેહ પડે એવો તેમનો ઉગ્ર મને રથ હતા એટલે છેલ્લા ચાર પાંચ વર્ષથી તેઓ પાલિતાણામાં રહેતા હતા. તેમના મનોરથ પ્રમાણે તે જ સ્થળમાં તેમનું અવસાન થયું છે. મહાપુન્યશાળી જીવના આવા માથે પૂર્ણ થાય છે અને પર્લોકમાં તમને વાસ ઉગ્ર દેવેલકમ થાય છે. આ જીવ પરમ શાંતિને પામે છે. કહ્યું છે કે
विहाय कामान् यः सर्वान् पुमांचरति निस्पृहः । निर्ममो निरहंकारो स शांतिमधिगच्छति ।।
જીવરાજભાઈ ઓધવજી દેશી
મુનિરાજ શ્રી કપૂરવિજ્યજી પૂજ્ય મુનિરાજ શ્રી કર્ખરવિજયજી શ્રી પાલિતાણા મુકામે આસો વદિ ૮ ની પ્રભાતે કાળધર્મ પામ્યા. કેટલાંક જીવન જ એવાં હોય છે કે જેની સાનિધ્યમાં જતાં આત્મા એક પ્રકારની નિરવ શાંતિ અનુભવે. એ શાંતિ અનિર્વચનીય હોય છે, છતાં અનુભવાય જરૂર હોય છે. એવા પ્રકારની શાંતિનો અનુભવ એમની પાસે જરૂર થતો હતો. એમનામાં કોઈ જાતની ખટપટ, ધમાધમ કે અર્થ પરિણામ વગરની ચર્ચાને અવકાશ જ નહોતા. સદા જ્ઞાનાનંદમાં મગ્ન, ચાલે તે પણ નીચી દષ્ટિ રાખીને, જરૂર પૂરતી જ વાત કરે એવા સાચા વાગીને નજરે નિહાળવાનો જેને લાભ મળ્યો હશે તણે વ્યવહારમાં જેને
થા આરાની વાનકી” કહેવામાં આવે છે તેને જરૂર અનુભવ કર્યો હશે. એમણે સં. ૧૯ર માં જન્મી મેટ્રિકયુલેશન સુધી અભ્યાસ કરી સં. ૧૯૪૩
For Private And Personal Use Only