SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :: શ્રી જૈન ધર્મ પ્રકારે સાનુકુળના અવશે– સ્વર્ગના વિમાનની સાથે જેની સરખામણી કરી શકાય એવું કોઈ મંદિર કે મહેલ ત્યારે કાળના કરાળ કાપનો ભોગ બને છે ત્યારે એને એકે એક પત્થર, માણસના પગની ઠોકર ખાતો અહીંતહીં રઝળે છે. જે મંદિર, મહલને જોઈ માણસનું મસ્તક નમતું તેના હાડપિંજર જેવા એ પત્થર-અવશે જઈ કાળની ગતિની આપણે કલ્પના કરીએ છીએ. આવા મોટા મંદિરનું આવું અધઃપતન ? એવા છે કે તે આપણને શેકટ બનાવે છે. મંદિર–ત તો જડ છે, પણ મોટા રાજવંશો અને ઋષિઓના કળાની પણ એવી જ અવદશા થયેલી આપણે ઈતિહાસના ગ્રંથમાં વાંચીએ છીએ. જેમના વંશના પૂર્વ પુરુ એક દિવસે રાજરાજેશ્વર હતા, તેમના જ સંતાનને, કાદ એક ગામડાની ભાગોળે ઘાસના એક કૂબામાં વસ્તા જેદ કાને ખેદ તથા આશ્ચ“ની લાગણી ઉદ્દભવ્યા વિના રહે ? તાતુકુલ, આપણી જેનશાસ્ત્રસાહિત્યમાં ઘણું પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીરે એ જ જ્ઞાતુકુળમાં જન્મ લીધા હતા. વૈશાલીમાં એ જ્ઞાતૃકુળની એક સમયે બેલબાલા હતી. પ્રજાસત્તાક ગણતંત્રમાં, આ જ્ઞાતુકુળની ભારે લાગવગ હતી. પ્રાચીન ઈતિહાસના વિષયમાં પ્રમાણભૂત ગણાતા પંડિત શ્રી કાશપ્રસાદ જ્યસવાલ, એ જ્ઞાતૃવંશના અવશેનો પત્તો મેળવ્યો છે. તેઓ કહે છે કે વૈશાલીના (વાડને) રત્તી નામના પ્રગણામાં વસતા જથરીયા નામથી ઓળખાતા ભાઇઓ જ્ઞાતૃવંશને જ સંતાને હોવા જોઇએ. બૌદ્ધ વિદ્વાન ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયને એ બંધનને, વાસ્તવિક હકીકત તરિક સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત એમણે બીજી કેટલીક કડીઓ ઉમેરી એ ઐતિહાસિક વાતને વધુ મજબૂત બનાવી છે. એમની યુક્તિ, સંક્ષેપમાં નીચે પ્રમાણે છેઃ (1) જ્ઞાતમાંથી જ્ઞાતર, જથર અથવા જેથી એવું રૂપ બન્યું. એને ‘ઈ’ લગાડવાથી “જથરીયા” શબ્દ બન્યો. (૨) જેન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીર નાત-પુત્ત, સાતપુત્રના નામથી ઓળખાય છે, કારણ કે તેઓ જ્ઞાતુકુળમાં જન્મ્યા હતા. તેઓ કાશ્યપગોત્રીય હતા એમ જૈનશાસ્ત્રો કહે છે. જેથરીયાનું ગોત્ર પણ કાશ્યપ છે. (૩) વૈશાલીને આજે વાડ કહેવામાં આવે છે. વાડ ર નામના પ્રગણામાં છે. જેથરીયાની મોટી જનસંખ્યા આ જ પ્રગણામાં છે. રત્તી લત્તી=ની-નાની( નાદ એ એનું પાલી ઉપ છે.) બુદ્ધના સમયમાં જ દેશમાં નાદિકા નામનું એક મેટું ગામ હતું–અહીં જ્ઞાતૃવંશને ઘણા કુટુંબો રહેતા. For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy