SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨ :: શ્રી જૈન ધર્મ પ્રકાશ સારૂ એટલું જ જતું હતું. શ્રી ક્ષિતિમોહન સેન, પિતાના નિબંધેમાં કેટલેક સ્થળે. ઉપનિષદમાંના વૈરાગ વિશે આશ્ચર્ય બતાવતા કહે છે કે વસ્તુતઃ એ સઘળો પ્રભાવ વિડ સંસ્કૃતિને-એટલે કે બૌદ્ધ તથા જૈન સંસ્કૃતિનો જ હોવો જોઈએ. તે ગમે તેમ છે, પણ સ્ત્રીની લાગવગ, પ્રભાવ શિથિલ થતાં જ પુરુષપ્રધાન સમાજે પ્રત્યાઘાત શરૂ કરી દીધા હોવા જોઈએ. “નારી નનું દ્વાર છે.” “નારીને મુકિત સંભવતી જ નથી ” “ ભિક્ષણી માટે પણ સખતમાં સખત નિયમે પળાવા જોઈએ ” અને તુલસીદાસ જેવા ભકત કવિએ પણ “નારીને તે મારથી જ સીધી કરવી જોઈએ” એમ ગાયું. સારા સારા દાર્શનિક અને ભકતો પણ એ પ્રત્યાઘાતમાંથી બચી શક્યા નહીં. પુરુષપ્રધાનતા સાથે નારીનિંદાવાદને ઘણો નીકટને સંબંધ છે. શ્રી ક્ષિતિહન સેન, જેમણે આ વિષયને તટસ્થભાવે અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે જે થોડા બળવાખોરેએ સ્ત્રી–પ્રધાનતાની સામે ખુલ્લે બળવો જગવ્યો હતો તેમણે જ આ નારીનિંદાનું પ્રકરણ શરૂ કર્યું છે. સ્ત્રી-જાતિ તરફ કેવળ તિરસ્કાર કેળવે એમ કોઈએ નથી કહ્યું –એ માતાની જતિ વિષે પૂરેપૂરું સન્માન ધરાવવું એવી મતલબનાં ઘણાં ઉલ્લેખ છે. આજે એ વિદ્રોહ ઘણેખરે અંશે શમે છે. સ્ત્રીઓને એમનું ગ્ય સ્થાન મળ્યું છે. જાણે કે સ્ત્રી પ્રધાન અને પુરુષપ્રધાન એમ બન્ને રાજાઓએ પરપર ગંધી કરી વાળી હોય એવું મનોરમ દશ્ય દેખાય છે. તેત્રસાહિત્ય: શૃંગારરસ– આપણા જેન સ્તોત્રસાહિત્યમાં ગુણગાન સિવાય શંગારરસને પાસ બહુ નહીં લાધે. આપણું સ્તોત્રકવિઓએ, તેત્રના નામે જૈન સિદ્ધાંતોના રહય, પ્રભુના ત્યાગ પ્રભાવ–અંકિત ચત્ર કે પૂર્વભવે જ આલેખ્યાં છે. શૃંગારરસ વર્ણવવાને જે નારી-પાત્ર જોઈએ તેને આપણા ભકિતક્ષેત્રમાં પ્રાયઃ અભાવ હોવાથી આપણા સ્તોત્રસાહિત્યને શુંગાર સ્પશી શકયો નથી. એક જીવંત ધર્મનો પ્રતાપ કેવળ તેના અનુયાયીઓ ઉપર જ નહીં, પણ આસપાસના બે ધર્મો ઉપર પણ પડે છે. જૈન અને બૌદ્ધધર્મ જ્યાં સુધી પિતાને પ્રભાવ દાખવી રહ્યા ત્યાં સુધી ઈતર સંપ્રદાયનું રસ્તુતિ સાહિત્ય પણ શુગારની છાયા લઈ શકયું નહીં. લગભગ અગીયારમી સદી સુધી એ સ્થિતિ જળવાઈ રહી. બારમી સદીને ઉદય થતાં રામ અને સીતાને નામે, તેમજ કૃષ્ણ અને રાધિકાના નામે શંગારના ફુવારા ઉડે છે. શ્રીયુત જ્ઞાનચંદ વમાં–બારિસ્ટર–એટ–ૉ. આ બારમી સદીની આલોચના કરતાં કહે છે કે – “ लगभग पचीस सौ वर्ष हुए जब वौद्ध और जैनधर्म भारतवर्षमें बडे विस्तारमें स्थापित हो गये थे ।। सारी जनता इन्हीं धर्मोकी For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy