SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ :: શ્રી જૈન ધર્મ પ્રકાશ નિરીક્ષણ કર્યું છે? તારી સ્વાભાવિક મૂળ સિંહશક્તિ પાસે એ દુશ્મને મગતરા જેવાં છે એમ તને લાગ્યું છે ? શ્રદ્ધા અને વર્તનને પણ કેટલું છેટું પડી ગયું છે? કેટલીક વાર તને જે સેએ સો ટકા સાચું લાગતું હોય તેને પણ વર્તનમાં મૂકતાં તે પાછા પગલાં ભરે છે ! આ કાયરતા તને કદિ દુ:ખદાયક ભાસી છે? કહેવું જૂદુ, શ્રદ્ધવું જૂઠું અને કરવું જૂદું, એવી વિચિત્રતા વચ્ચે તું થોડો જ ભવસાગર તરવાનો હતો? એ વિચિત્રતા, એ નિવાર્યતા તો તારા નાવને તળીયે તાણ જશે. આ પ્રવાસી ! તું ક્યાં જવા માગે છે? તે આજે જે માર્ગ સ્વીકાર્યો છે તે તને કઈ દિશામાં ઘસડી જાય છે ? તને એમ નથી લાગતું કે તું ઉઘાડી આંખે ઉંડાં ભયંકર વમળ તરફ ખેંચાઈ રહ્યું છે? પણ હવે નકામે શેચ કરવાથી કંઈ નહીં વળે. તારું સુકાન હાથ ધર ! તું પોતે જ નાવિક છે–તું પિતે જ કર્ણધાર છે ! તારી શક્તિઓને કુરાવ! તારી શ્રદ્ધાને તારા વર્તનમાં મૂક ! એટલું કરશે તે તારા સહને, નહીં હોય ત્યાંથી અનુકૂળ વાયુ આવીને ભેટશે અને તેને કિનારા તરફ લઈ જશે. તને ઘણુ માયાવી સાઢ પૂકારી પૂકારીને બોલાવતા હશે, બાહ્ય વિલાસ-આનંદનાં આકર્ષણ તને મુંઝવતા હશે; પણ એ તો તારી શ્રદ્ધાને કોટી કાળ છે. તું તારા શુદ્ધ સ્વભાવ, શુદ્ધ ચારિત્રથી જરા પણ ડગીશ મા ! માવઠાની વૃષ્ટિ જેવો આ માનવજન્મ તને ફરી ફરી થડે જ મળવાનો હતો? જે કંઈ પ્રાપ્ત થયું છે તેને સદુપયેગ કરી લે. પુરૂષાર્થ વડે તારી શક્તિઓનો કંઇક પર બતાવ. કદાચ ભૂલ થશે તો? એમ વિચારી નાસીપાસ ન થા. તારા અંતરમાં શ્રદ્ધાને જે દીપક બળી રહ્યો છે તે તારી ભૂલ સુધારશે. એક વાર વર્તનશાળી થઈશ એટલે પ્રકાશ પિતે આવી તારે રાહ અજવાળશે ! કુંવરજી મૂળચંદ શાહ For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy