SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવણૅ મહાત્સવ અંક. ૧૧૧ તેમને તેડી લાવા એટલે તે સમ્મતિ આપશે અને તમારામાં ખરા જીગરથી વૈરાગ્ય ઉત્પન્ન થયા છે એવી મારી ખાત્રી થશે તેા પછી દીક્ષા આપીશ.' મૂળચંદ વીલે માઢે ઘેર પાછા ગયા અને બનેલી હકીકત પેાતાનાં માબાપને કહી. પેાતાનુ છે.કરૂ ગમે તેવુ' મૂખ, અભણ અગર કુછદી હાય તા પણ માબાપના પ્યાર તેની ઉપરથી કંઇ અેક જ નષ્ટ થતા નથી તેથી મૂળચંદને દીક્ષા લેવાની રજા આપવા તેમણે ના પાડી, પણ તેના અત્યંત આગ્રહથી આખરે અનુમતિ આપી અને તેને સાથે લઇ મુનિ પાસે ગયા તેમણે સંમતિ આપી ત્યારે જ મહારાજે તેને દીક્ષા આપી હતી. ૮. જૈન દીક્ષા આપવાની રીત આવી ઉત્તમ છે તેથી દીક્ષા લેવાને ચેાગ્ય હાય તેમને દીક્ષા અપાય છે અને તેને લીધે જૈન ધર્મ માં અત્યાર સુધીમાં ઘણા પવિત્ર, વિદ્વાન, આચાર્ય પદને દીપાવે અને ધર્મ ઉપર શ્રદ્ધા વધારે એવા ઉત્તમ કેાટીના સાધુએ થયા છે અને હાલ પણ વિદ્યમાન છે. કેટલાક વખતથી આ નમુનેદાર સંસ્થામાં પણ બીગાડ દાખલ થયે છે અને તેને લીધે ચેલા ચાપટના લેાભી એવા કેટલાક આચાર્યાં ગમે તેને દીક્ષા આપી હૈ છે, કુમળી વયનાં બાળકોને તેમના ભેળપણના લાભ લઈ ગુપ્ત રીતે અને ઉતાવળે મુડી નાખે છે અને આ કામમાં કેટલાક ધર્મ ઘેલા શ્રાવકે પણ ગુપ્ત અગર ઉઘાડી રીતે મદદ કરે છે. મા-બાપ, સ્ત્રી વગેરે તરફથી ઘણા કકળાટ થાય છે અને વર્તમાનપત્રામાં પણ ખરા ધર્મ પ્રેમીને ગુસ્સા આવે એવાં લખાણ પ્રસિદ્ધ થવા લાગ્યાં છે. કેટલેક ઠેકાણે તા મારામારી થવાના અને કાટે ચઢવાના પણ પ્રસંગ અન્યા છે. પેાતાના ધર્મનું ખરૂં હિત ચાહનાર શ્રાવકા અને સાધુએ જ્યારે આમ ગેરરીતે વર્ત્તવા લાગ્યા ત્યારે તેમની ઉપર પણ ગાળાના વરસાદ વરસવા લાગ્યા. મામલે એટલેા ધેા વધી ગયેા કે વડાદરા રાજ્યમાં તા ખરી હકીકત શી રીતે છે? અને ગેરશીરસ્તે કામ થતુ હાય તા તે બંધ કરવાને શા ઉપાય લેવા ? તે નક્કી કરવા એક સમિતિ નીમવામાં આવી. ૯. સમિતિએ તપાસ કરી નિવેદન કર્યું' તેમાં જણાવ્યું કે ‘ કેટલાક સાધુઓએ અજ્ઞાન વયનાં બાળકોને ગુપ્ત રીતે દીક્ષા આપવા માટે તેમને નસાડી–ભગાડી લઈ જવાના દાખલા બનેલા છે, દીક્ષાનુ રહસ્ય ન સમજે એવા અજ્ઞાન વયનાં બાળકાને તેમનાં માબાપની સંમતિ લીધા વગર દીક્ષા અપાયાના દાખલા બન્યા છે. સંઘ તરફથી જે પગલાં લેવાવાં જોઇએ તે લેવાયાં નથી અને તેથી રાજ્ય તરફથી દરમ્યાનગીરી કરી, અસસતિવાળી અને સગીર દીક્ષા ધ કરવાને કાયદા થવાની જરૂર છે.’ For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy