SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા જૈનધર્મી, વિધિઓને એવા બનાવી મૂકવા પાતાનું સામર્થ્ય બતાવી રહ્યા છે કે તેના ગલ'માં રહેલા ઉત્તમ ચારિત્રના પાઠો શીખવી આપણા આખા જીવનને સકળ વિશ્વની સાથે અધુભાવની સાંકળમાં તે સાંધે છે-સ ધાડે છે; પરંતુ વર્તમાન યુગને નવ યુગની પ્રવૃત્તિમાં મેળવી દેવા જેટલું મનુષ્ય જાતિ પાસે બળ નહીં હાવાથી કર્તવ્ય દિશામાં શિથિળ થવાને લીધે તે સાંકળના અંધને નબળા પડતા જાય છે. ૨૪૯ આપણાં સર્વ કાર્યોની ઉન્નતિમાં ઉન્નત ભાવનાએનું' તત્ત્વ એટલું બધું છે કે જે જૈનતત્ત્વધારીને તેના એકજ લક્ષ્યબિંદુ તરફ દોરી જાય છે. તે કહે છે કે-‘તું દુ:ખ સહન કરીને સામાને દુ:ખથી ખચાવ, ક્ષમા શીખ, ભ્રાતૃભાવ દાખવ, વિશ્વપ્રેમી ખન, અને નિજ આત્માના સ્વરૂપમાં રમણ કરી તારા પેતાને શ્રેયમાર્ગ વિચારી લે. આ વિશ્વની સાથે એકત્વભાવ પ્રગટાવી આ દેડુનુ સાક કરી લે, અને પરબ્રહ્મના ઉચ્ચ સ્થાનને મેળવ.’ હાલમાં આમાંની કેટલીક શીખામણા મર્યાદિત ક્ષેત્રમાં પણ યથાયોગ્ય વિહાર કરતી નથી, તેથી તેની પાતાની હદ છેાડી બીજી લાંબી મજલે તે તે માપતીજ નથી, પણ તેની જે હદ બાંધી છે તેમાં પણ ગેાથાં ખાય છે. જૈન શાસને જે ક્રમાના કાઢ્યા છે તેના સર્વોચ્ચ અને સુંદર આદને પહોંચી વળવા માટે આપણે આપણા આત્માની મર્યાદાએ, સકુચિતતા અને કયપ્રદેશ વિચારવાનું બાકી રહે છે. તે વિચારણાનું પરિણામ આવ્યેથી આપણે અમુક માગે જરૂર કુચ કરી શકશું. જ્યાં શક્તિ અને પ્રભાવ હોય તેમજ જેને જોતાં આપણાં અતરમાં અમર છાપ પડતી હાય તે શક્તિ અને પ્રભાવ આપણને જૈનને તેમજ જૈનેતરને પણ માન્ય વાજ જોઇએ. પ્રભુની ભક્તિ માટે ઠેર ઠેર તેની પ્રતિમાઓ સ્થાપન કરી તેની પૂજા કરવી અને તેજ પ્રભુના વચનામૃતે ન માનવા, તેથી વિશ્ર્વ વન કરવું, એ તે પ્રભુને અનાદર-અવજ્ઞા કે આશાતના કરી ગણાય. આ વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. For Private And Personal Use Only ભલે આપણા ચિત્તની વૃત્તિ ઠેકાણે રાખવા માટે આપણે ઠેકાણે ઠેકાણે પ્રભુની પ્રતિમાએ સ્થાપન કરીએ, પરંતુ તેમાંથી સ્ફૂરતા દિવ્ય પ્રતાપની, અસીમ સાંદની અને અપાર યશકીત્તિની ભાવના આપણે જોઇ કે જાણી શકતા નથી તેજ આપણી ખામી છે. તેમના આત્માની પવિત્રતા નથી નિહાળી શકતા તેજ આપણી ભૂલ છે, તેમનુ આદર્શ અને અનુકરણીય ક્ષમાવૃત્તિધારક જીવન બારીકીથી જોવામાં આપણે ચૂકીએ છીએ એજ આપણી કસુર છે. એ ખામી, ભૂલ અને કસુરવાળા જે આપણે તે એ પ્રભુના પ્રવર્તાવેલા અદ્વિતીય જૈનધર્મીને બરાબર કાંધી જાણી શકીએ ?
SR No.533458
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy