SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. નથી તે રીલગીરીમાં ગીરફતાર છે. તમારી બહેનનું દીલ પણ ઘણું ઉદાસ જણાય છે. તમારી મા ઉદેપુરી જે મારા દુ:ખમાં ભાગીઓણ હતી તે મારી પાછળ સતી થવા ઈચ્છે છે. સઘળું વખત પ્રમાણે થયાં જશે. ઘરના ચાકરો અને દરબારીઓ ગમે તેવા કપટી છે તો પણ તેમની સંભાળ લેજો. ગજ ઉપરાંત પગલાં ભરશે નહિ. પગાર નહિ આપેલા લશ્કરની ફરિયાદ જેવી ને તેવી જ છે. દારાશા ઈસાફી ને શાણો હતો, તેણે લોકોને મોટા મોટા વષાસન આપ્યા હતા, તે પણ તેમને પગાર બરાબર નહિ મળ્યાથી તેઓ હમેશાં નારાજ રહેતા હતા. હું જાઉં છું, મેં જે કાઈ સારૂં નઠારું કર્યું છે તે મારા દીકરા! તમારે માટે છે. મારા ઉપર ખોટું લગાડતા નહિ અથવા તમને ખોટું લાગે એવું કાંઈ કીધું હોય તે તે સંભારશે નહિ. હવે તેનો કોઈ જવાબ દેનાર નથી. કોઈએ પિતાને આત્મા જતા નથી પણ મને મારો આત્મા જતો જણાય છે.” પ્રિય વાંચનાર! ઉપરના કાગળો વાંચવાથી આપના મનમાં ખ્યાલ આવશે કે જુવાનીમાં કરેલાં કર્મો અંતસમયે યાદ આવે છે. કારણ કે મુકમ કરનારને આ લેકમાં ને પરલોકમાં કશાનો ભય નથી, પણ કુકર્મ કરનાર માણસ અંતસમે આકુળ વ્યાકુળ થાય છે, તેવી જ રીતે ઔરંગજેબને થયું. મુગલ શહેનશાહતની અકબર જેવા મહા ન્યાયી પાદશાહે સર્વ રેયતને સરખી ગણીને વ્યાજબી ઇન્સાફ આપી દરેક કામમાં પરમાત્માને ડર રાખી આબરૂ જમાવી હતી, તે શહેનશાહત ઔરંગજેબ જેવા લોભી અને દ્વેષી પાદશાહે રાજલભ માટે કરેલાં કુકર્મથી જર્જરિત થઈ. ગઈ. જુવાનીમાં તે સમયે નહિ કે માંધાતા અને મહમ્મદ ગિંબર જેવા મહાન પુરૂ પણ ખાલી હાથે ચાલ્યા ગયા તેમ એક દિવસ મારે પણ જવાનું છે. પરમાત્મા પાસે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ, યાદી, જૈન, વૈષ્ણવ તમામ સરખાં છે. તેની પાસે રંક અને રાજાને વ્યાજબી ઇન્સાફ મળે છે, કોઈનો પક્ષપાત થતો નથી. આખી પૃથ્વીને તાબે કરનાર, વસ્તી ઉપર જુલમ કરી લાખો પૈસા પેદા કરી ભંડાર ભરનાર, ગેર ઈસાફ આપનાર, પિતાને ધર્મ શ્રેષ્ઠ માની અન્ય ધમ ઉપર વેરભાવ રાખનાર, વ્યાજબી દાદ માગવા જતાં હેગાર ઠરાવી આપખુદીથી જેલમાં મોકલનાર, સત્તાના બળમાં ગમે તેવી રીતે વર્તે છે, તેઓ પણ આ ફાની દુનિયામાં નગ્ન આવ્યા અને નગ્ન જવાના છે. એક રાતી પાઈ પણ સાથે લઈ જવાના નથી, માટે હે જીવ! તું વિચાર ! રાજસત્તા, અધિકાર, વૈભવ, ખજાનો સર્વ ધુમાડાના બાચકા જેવા છે, માટે સદાચરણથી આખા જગતમાં તારું નામ અમર કરી જા. એજ તારા જમનું સાર્થક છે. તથાતુ. અમીચંદ કરસનજી રોહ–જુનાગઢ. For Private And Personal Use Only
SR No.533454
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy