SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ ચરિત્ર લઈને આકાશ મા શીવ્ર અહીં આવે છે, આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને કુમાર જરા હસીને બોલ્યા કે “હે અજ્ઞ અબળા ! તારું મન જાણવામાં આવ્યું, તું તે યમ જેવા રાક્ષસને જ વરવા ઈચ્છે છે, મને નહિ.” એટલે રાજબાળ એક ઉડેનિસા નાખીને બેલી કે હે મહાભાગ! હું મદભાગી આપ સરખા કિંમતી રનને કયાંથી મેળવી શકું?” તે બે કે “જો એમ હોય તે મને કાંઈક તેના મર્મની વાત કહે કે જેથી એ તારા અકારણ વૈરીને હું નાશ કરું. આથી તે કન્યા હર્ષિત થઈને બોલી કે “ બપોરના વખતે એ એક મુહૂર્ત દેવના પાનમાં લીન થાય છે, તે અવસર તેને મારવાનું છે, તે વિના એ નરરાક્ષસને વધ થઈ શકે એમ નથી.” કુમાર “હે ભદ્ર! આ તેં યુતિ સારી બતાવી.' એટલે તે કન્યા બોલી કે “હે મહાભાગ! હવે બીજા તુંબડામાંથી મને અંજન આંજીને બીલાડી બનાવી મૂકે અને તમે એક ખુણામાં સંતાઈ જાઓ.” પછી તેના કહ્યા પ્રમાણે કરીને કુમાર એકાંતમાં તરવાર લઈને બેસી રહ્યો. એવામાં ખાઉં ખાઉ' એપ વારંવાર બોલતે તે રાક્ષસ ત્યાં આવ્યો અને અંજનથી તે રાજબાળાને સ્ત્રી બનાવીને ચારે તરફ નજર કરી બેલ્થ કે- “હે પ્રિયા ! આજે અહીં મનુવ્યની ગંધ આવે છે, તે બોલી કે- ત્યારે તે હું અહીં મનુષ્ય છું, માટે તમને રૂચે તેમ કરે તમને કોણ અટકાવનાર છે.” પછી વિવાહ સામગ્રી એક બાજુ મૂકી પવિત્ર થઈ ઈદેવની પૂજા કરીને તે રાક્ષસ સનર ધ્યાનમાં લીન થયે, એટલે ગુફામાંથી જેમ સિંહ બહાર નીકળે તેમ ચળકતી વીજળી સમાન તરવાર ઉગામીને કુમાર પ્રગટ થયા અને દ્વાર આગળ ઉભું રહીને બે કે-“અરે પાપિષ્ટ ! હવે મારી પાસેથી તુ કયાં જવાને છે? રાજવિગેરેનાં ચિંતામણિ સમાન જીવિતનું જે તે હરણ કર્યું છે, તે પાપનું તરવારથી હું તને પ્રાયશ્ચિત આપું છું.” એટલે બે ઘડી એકાગ્ર ધ્યાન ધરી હાથમાં ચમની છઠ્ઠા સમાન છરી લઈને તે રાક્ષસ કુમારની સામે આવ્યું, પરંતુ કુમારે સમય સાધીને કદલીકાંડની જેમ તેનું શિર છેદી નાંખ્યું. એ રીતે પ્રબળ પુણ્યના પ્રભાવથી રાજબાળાનું રક્ષણ કરતાં તે રાજકુમાર જગતમાં પ્રશં. સનીય એવા જયને પામે. પછી અનુરાગના વઘી રાક્ષસે લાવેલી વિવાહસામગ્રીવડે સુમિત્રકુમાર તે રાજકન્યાને પર. ॥ इति श्री हर्षकुजरोपाध्यायविरचिते दानरत्नोपाख्याने श्री सुमित्रचरित्रे मुमित्रजन्म परदेशगमन पाणिग्रहणवणे.ो नाम प्रथमः प्रस्त वः ॥ . For Private And Personal Use Only
SR No.533387
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy