________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોને આશય છે. આ વાં છે : કરવાને હું વિશેષ શક્તિ આવું તેવા પ્રકારને ઉગ ફરવાને મારા પર પ્રયાસ છેએ અને ખાસ ભો છે.
નંદલાલ લલુભાઈ,
हितशिक्षाना रासनु रहस्य.
( અનુસંધાન પૃષ્ટ ૨૧ થી ) શ્રાવક પ્રભાત સમયે કેવી રીતે જાગે તે સંબંધીની હકીકત કહેતાં તેના પ્રા. રંભમાં કર્તા કહે છે કે-રાત્રે શ્રાવકને કોઈ પ્રસંગે કોઈનું કામ પડે તો તેને મધુર અને ધીમે વરે જગાડે. તાણીને-ઉંચે સ્વરે ન લે. ખારે કે હંકારે પણ ન કરે. એનું કારણ શું ? એમ પ્રશ્ન થતાં તેના ઉત્તરમાં કહે છે કે-પ્રભાતમાં વહેલા ઉંચે સ્વરે બોલવાથી તે શબ્દ સાંભળીને નજીકમાં રહેનારા અનેક પ્રકારના આરંભ કરનારા સ્ત્રી પુરૂષે જાગી જાય અને તે પોતાને ધંધે વળગી જાય તો તેને વહેલા, જગાડવાને કારણુક ઉંચે સ્વરે બોલનાર થાય. તેને સ્વરથી કેઈ દળવા બેસે, કે ખાંડવા બેસે, કઈ રાંધવાનું શરૂ કરે, કેઈ પાણી ભરવા જાય, વ્યાપારી વ્યાપારમાં પ્રવતે, પંથી માગે પડે, ધી ધોવા જાય, ખેતી કરનાર હળ વિગેરે લઈને ખેતરે જાય, લુહાર, નાર, કદઈ, ભાડભું જ ચુલ સળગાવે. ઇત્યાદિ અનેક આરંભના કાર્યોની વહેલી શરૂઆત થાય, માટે જ્યાં સુધી રાત્રિ દેય ત્યાંસુધી શ્રાવકે બહુ જ ધીમે સ્વરે બોલવું, કેઈને જગાડવા હોય તે ધીમા સ્વરે જગાડવા, પ્રતિક્રમણાદિક ધર્મક્રિયા પણ ધીમે સ્વરે કરવી. ચાર ઘડી રાત્રિ હોય ત્યારે અથવા પાછલા પહેરે જાગવું અને જ્ઞાન, થાન, જાપ, સમરણ તેમજ આવશ્યકાદિ કરવું. જે માણસ દિવસ ઉગતા સુધી અોર નિદ્રામાં સુઈ રહે છે. ઉંચા કરે છે અથવા આળોટયા કરે છે તેના બને ભવ સીજાય છે અને ધર્મ, અર્થ ને કામ એ ત્રણે વયથાર્થ સધાતા નથી તેથી અવશ્ય વહેલા ઉઠવું.
શ્રાવક અથવા ઉત્તમ પુરૂ તો રાત્રિએ નિદ્રા બહુ અઢ૫ જ લે છે, એટલે તેઓ ખરી રીતે જાગૃત જ કહેવાય છે. તેમને જાગૃત રહેવાના કારણો શું શું છે? તેને માટે શાસ્ત્રકાર કહે છે કે–
जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं तस्माज्जागृत जागृत ॥१॥ माता नास्ति पिता नास्ति, नास्ति भ्राता सहोदरः ।
For Private And Personal Use Only