SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકર-ભાષાઅનુવાદ (સરહસ્ય) ૩૬ શ્રી નવજ્ઞાન પ્રવાસ–મીષાનુવાર (ર ) (લેખક:-સણનુરાગી કપૂરવિજયજી) (અનુસંધાન પ્રષ્ટ ૩૧ થી.) અથ સમ્યમ્ જ્ઞાન દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય, બંધતત્ત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જૂદાં ગણીએ તો ઉત સાત તો તેને બદલે) નવ તત્ત્વો પણ કહેવાય છે. સંક્ષેપે કે વિસ્તારે તે તને અવબોધ જે તે સમ્યજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ ભેદે કરીને પાંચ પ્રકારનું જાણવું. તે સર્વ તત્તની શ્રદ્ધા–પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન ન કેઈક જીવને ગુરૂ ઉપદેશાદિક વગરજ કર્મના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કેઈક જીવને કર્મ ઉપશમાદિ સદ્દભાવે ગુરૂ-ઉપદેશ અથવા જિનપ્રતિમા દર્શનાદિ બાહ્ય આલંબનની પ્રાપ્તિવડે ઉપજે છે. તે સમ્યગ્દર્શનના ત્રણ ભેદ કહ્યા છે-૧ ઔપશમિક, ૨ લાપશમિક અને ૩ ક્ષાયિક. તેમાં પથમિક સમકિત, ઉ. પશમણીએ ચઢતાં અનંતાનુબંધી કષા અને સમકિતનેહની, મિશ્રમેહની તથા મિથ્યાત્વમેહની એ ત્રણ દર્શનમોહનીય ઉપશાન્ત થયે છતે ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ અધ્યવસાયવિશેષરૂપ યથાપ્રવૃત્તિ કરણવડે આયુવર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન એક કોડાકૅડ સાગપમ પ્રમાણુ કરીને, અપૂર્વકરણુવડે દુર્ભેદ્ય રાગાદિજનિત ગ્રંથીને ભેદી નાંખી, અનિવૃત્તિ કરવડે અંતર્મુહર્ત કાળપ્રમાણ-જેમાં મિથ્યાત્વ મોહનીયનાં દળીયા વેદવાના નથી એવું અંતરકરણ કરે, તે કર્યો છતે મિથ્યાત્વ મેહનીયની બે સ્થિતિ થાય-પહેલી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદાની સ્થિતિ અને બીજી અંતરકરણથી ઉપરલી બાકીની સ્થિતિ, અંતર્મુહૂર્ત પ્રમાણ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઈ રહ્યું છતે અંતરકરણના પહેલા સમયેજ મિથ્યાત્વ મેહનીયના દળીયાના ઉદયનો અભાવ હોવાથી તે જીવને ઐશમિક સમકિત પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી વી-પડી મિયાત્વ પામેલો સાદિ મિથ્યાષ્ટિ જીવ સમતિ મેહની અને મિશ્રમેહની બંને પુને મિથ્યાત્વમાં ક્ષેપવ્યા પછી પાછો શુભ પરિણામવંત બને છે તે શુભાશય જીવ પણ ઉક્ત સમકિતને પામી શકે છે. એ રીતે ઔષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવડે મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મિહનીય ધાતું છતું ત્રણ પ્રકારનું થાય છે–૧ શુદ્ધ, ૨ અર્ધ For Private And Personal Use Only
SR No.533380
Book TitleJain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy