SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ. છે હાથી અને ત્યાગની શરૂઆત તેનાથી થતી હોવાથી તેની પણ બહુ ત્ય બનાવવામાં આવી છે અને છેલે ઉપાય મેક્ષના તરફ દ્રષિભાવને ત્યાગ કરવા એ છે. એ ચતુર્થ ઉપાય આપણું ચાલું વિષયને અંગે ઘણે અગત્યને છે તે જરા પષ્ટપણે જણાવી. ઘણું સંસારરસિક છેને એમ લાગે છે કે મોક્ષમાં જઈને કરવું શું ? જ્યાં સુંદર સ્ત્રીઓના હાવભાવ યુક્ત વિલાસે ન હોય, જ્યાં ગીત ગાન ચાલતાં ન હય, જ્યાં કોઈ મિષ્ટાન્ન ઉડાવવાનાં ન હોય, જ્યાં ચક્ષુને તૃપ્ત કરનાર સુંદર રંગ ન હય, જ્યાંનાસિકાને તૃપ્ત કરનાર સુગંધી પદાર્થો ન હોય અને જ્યાં સંસારની આનંદયુકત ધમાલ ન હોય ત્યાં જઈને કરવું શું? આ પ્રમાણે જેને મોક્ષ તરફ પ્રેમ થતું ન હોય તે પ્રાણ તેની પ્રાપ્તિના ઉપાય કરી શકે નહિ. આવા પ્રાણીઓને ખ્યાલ તદ્દન બેટે છે એ જણાવવાની જરૂર નથી. આ પ્રાણીએ ઇદ્રિયવૃતિનાં સાધનોમાં અથવા તેની તૃપ્તિમાં સુખ માન્યું છે તે તદન તુચ્છ છે, સ્થળ છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે સુખ છેજ નહિ. માનસિક સુખ આગળ તે નકામું છે, રદ છે, અર્થ વગરનું છે. એક સુંદર લેખ વાંચતાં કે તેમાં કપના દેડાવતાં અથવા ન્યાયની કેટેમાં દલીલ કરતાં જે અભિનવ આનંદ થાય છે તે સવિશેષ છે. આથી પણ વધારે આનંદ સતોષ, દયા, વાત્સલ્ય આર્દિ હદયના ગુણેનો અમલ કરતાં થાય છે. આધ્યાત્મિક આનંદ એ આ સર્વથી વિલક્ષણ પણ અતિ ઉન્નત છે. એ પ્રાપ્ત કરવા માટે ચેતનને વિભાવમાંથી પાછા હઠાવી તેના મૂળ સ્વભાવમાં લઈ જવું જોઈએ અને તેને માટે પ્રથમ તે ભાવ તરફ રૂચિ પ્રાપ્ત કરવી જોઈએ. એ રૂચિ પ્રાપ્ત કરવારૂપ દશાને “મેક્ષઅષ” કહેવામાં આવે છે. ત્યાં સુધી એવી વિશાળ આત્મવિચારણું ન થાય ત્યાં સુધી સાધ્યની સ્પષ્ટતા થતી નથી અને આ મેક્ષ અષ એ ગપૂર્વસેવાને અંગે એટલે અગત્યનો ઉપાય ગણવામાં આવેલ છે કે જો તે ન હોય તે બાકીના ગુરૂ દેવપૂજન, સદાચાર કે તપ ગમે તેટલી ઉત્કૃષ્ટ હદ સુધી કરવામાં આવે છતાં પણ તે સવ નકામા થઈ પડે છે. મેક્ષદ્વેષને આટલું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે તે બહુ વિચારવા ગ્ય છે. આનંદઘનજી મહારાજ રોગપ્રાપ્તિના ઉપાયને અંગે ગપૂર્વસેવા કરવાનું જણાવતાં શ્રી સંભવનાથના સ્તવનમાં ભૂમિકાની શુદ્ધિ કરવાનું ભ ર મૂકીને જણાવે છે. જ્યાં સુધી ભૂમિકાની શુદ્ધિ કરી હૃદયની નિર્મળતા કરવામાં ન આવે ત્યાં સુધી તેના પર ગમે તેટલાં ચિત્રો આળેખવામાં આવે તે સર્વ નકામા જાય છે અને મૂળ વસ્તુની જરાપણ કિંમત વધારતા નથી. તેથી તેઓશ્રી કહે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકાઇ, અભય અપ અખે' For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy