SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાના રાસઉપરથી નીકળતે સાર. ૧૧૭ પિતાની જેવા કે તેથી વધતા દુઃખી બીજાઓને દેખે છે એટલે પિતાનું દુઃખ ઓછું થઈ જાય છે અને સહ્ય લાગે છે. નટે ત્યાંથી નીકળીને ઘણુ ફર્યા. એકંદર પ્રેમલાને પરણીને અંદરાજ પાછા ગયા હતા તેને ૧૬ વર્ષ થઈ ગયા એટલે ન ફરતા ફરતા વિમળાપૂરી આવ્યા તે નગરી જોઈને નટો બહુ રાજી થયા. કુટે પણ કેટલાક ચિન્હ ઉપરથી તે નગરીને તેમજ આંબાવાળી જગ્યાને ઓળખી લીધી. પ્રેમલાને પરણ્યાનું સ્થાન પણું યાદ આવ્યું અને કેટલેક અંશે તેના મનમાં નિવૃત્તિ થઈ. પ્રેમપાત્રનું સ્થાન પણ પ્રાણીને આનંદ આપે છે, તો પછી પ્રેમપાત્ર આનંદ આપે તેમાં શું નવાઈ ? નટે મકરધ્વજ રાજા પાસે નાટક કરવા દરબારમાં આવે છે, પરંતુ ત્યાર અગાઉ વામ નેત્ર ફરકવાથી પ્રેમલાના મનમાં એમ ઉગે છે કે-જરૂર મને આજે મારા સ્વામીનો મેળાપ થ જોઈએ. તે પિતાની સખીઓને તે વાત જણાવે છે; કુળદેવીએ કહેલી મુદત યાદ આવે છે અને ૧૬ વર્ષની મુદત પૂરી થવાથી આશાની તીવ્ર જાગૃતિ થાય છે, પણ તેનું મન હિંડોળે ચઢે છે. એક બાજુથી દેવીનું વચન ને નેત્રનું ફરકવું પતિ મેળાપની ખાત્રી આપે છે. ત્યારે બીજી બાજુથી આભાપુરીનું અત્યંત દૂરપણું અને અંદરાજાના ગયા પછી સંદેશાનો પણ અભાવ એ મેળાપ થવામાં શંકા ઉત્પન્ન કરે છે. સખીઓ તેની આશા ફળીભૂત થવાની આશીષ આપે છે. આમ વાતચીત ચાલે છે. તેવામાં રાજા તરફથી માણસ તેડવા આવે છે એટલે તે રાજસભામાં જાય છે. પિતા કહે છે કે “આ નટો આભાપુરીથી આવ્યા છે, તેનું નાટક જે., પિતાના પતિના ગામના નવા પણ વહાલા લાગે છે અને તેનું નાટક જેવા તત્પર થાય છે. પ્રેમની ગતિ ન્યારી છે. નટે આભાપુરીને વિમળાપુરી સાથે સરખાવે છે, તેમજ અહીં આવવાથી પિતાને રાજીપ પ્રગટ કરે છે. નાટકના પ્રારંભમાં પાંજરાનું સન્માન કરી તેને પુષ્પના ઢગલા ઉપર ઉંચું ગઠવી કુર્કટરાજને સલામ કરી તેની રજ લઈનાટકની શરૂઆત કરે છે. આ નાટકનું મુખ્ય પાત્ર શિવમાળા છે. તે અતિ રૂપવતી છે. જ્યારે તે ગાર સજીને નાટક કરવા આવે છે ત્યારે તેનું રૂપ જોઈને સૈ ચમત્કાર પામે છે. રાજા વિચારે છે કે આ સાક્ષાત્ શમતા, ક્ષમા કે નિમતા છે? કોણ છે? આવી શાંત, રૂપવંત ને કાર્યદક્ષ કેઈ સ્ત્રી જેવામાં આવી નથી. રાજા આ વિચાર કરે છે તેવામાં શિવમાળા અત્યંત ઉંચા વાંસ ઉપર પક્ષીની જેમ ચઢી જાય છે. ત્યાં કુજાસન, યોગાસન વિગેરે આસનો કરે છે. તેણે વાંસ ઉપર રહીને એવું અપૂર્વ નાટક કર્યું કે તે જોઈને નગરલેક સે ચિત્રામણમાં આળેખેલા હોય તેવા સ્તબ્ધ થઈ ગયા. ત્યાર પછી તે દોરે રે એવી રીતે For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy