SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ श्री जैन साहित्य संमेलन. નોધપુર તા. ૩–૪– માર્ચ સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ ૬-૭-૮, મંગળ, બુધ, ગુરૂ. આં સંમેલનમાં કાઠીઆવાડ ગુજરાતમાંથી બહુ અપ માણસે ગયા હતા. મારવાડમાંથી સેજા, પાલી, સાદી, બીયાર વિગેરે શહેરોમાંથી સુમારે પ૦૦ માણસે આવ્યું હતું મંડપ તરીકે એક મહાન તબુનો ઉગ કરવામાં આવ્યું હતો. તેની નીચે પાંચ હજાર માણસ સુખેથી બેસીને સાંભળી શકે તેમ હતું. તબુની એક દિશા તરફ પ્રમુખ માટે સ્ટેજ મૂકયું હતું. તેની ઉપર માત્ર બે ખુરશીઓ જ મૂકવામાં આવી હતી. તેની જમણી બાજુએ મુનિ મહારાજે માટે ઉંચી બેઠક ગોઠવવામાં આવી હતી. ડાબી બાજુએ યતિઓ માટે બેઠક રાખી હતી. પાછળના ભાગમાં સાધ્વીજીને બેસવા માટે જુદા તબુમાં ગોઠવણ રાખી હતી. પ્રમુખની બેઠકની આસપાસ સુમારે પ૦૦ ખુરશીઓ ગોઠવી હતી. બાકીની બેઠક રેતીને સમૂહ એકત્ર કરીને ઢાળ પતી બનાવવામાં આવી હતી. વેલીયરો પણ સારું કામ બજાવતા હતા. પહેલે દિવસે કલકત્તાની સંસ્કૃત કોલેજના પ્રીપાલ મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ. પી. એચ. ડી. એ પ્રમુખસ્થાન લીધા બાદ રીસેપશન કમીટીના પ્રમુખ મુત્તા બનતાવરમલજીનું ભાષણ હિંદીમાં વાંચવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબે પિતાનું ભાષણ ઈંગ્રેજીમાં કર્યું હતું. તેને સાર એક વિદ્વાને હિંદીમાં કહી સંભળાવ્યો હતો. ત્યારબાદ જેકટ કમીટીની નીમનોક થઈ હતી. તે કમીટીએ રાત્રે તેજ મંડપમાં ચાર કલાક બેસીને પસાર કરવાના ઠરાવો અંગ્રેજી ને હિંદી ભાષામાં તૈયાર કર્યા હતા. તેમજ તેને વકતા પણ મુકરર કર્યા હતા. ત્રણે દિવસની બેઠકમાં શ્રી વિજયધર્મ સૂરિએ વ્યાખ્યાન કર્યું હતું, અને તે શ્રેતાઓએ ઘણા આનંદથી શાંત ચિત્તે સાંભળ્યું હતું. તેની અસર પણ શ્રેતાપર સારી થયેલી જણાતી હતી. બેઠકના પ્રારંભમાં ને અંતમાં શ્રી પાલીતાણા શેવિયજી પાઠશાળામાંથી આવેલા લઘુ વિદ્યાથીઓએ ગાયન કરીને લોકોના મનનું રંજન કર્યું હતું. તેમાંના એક વિદ્યાર્થીએ તો ભાષણ પણ એવું અસરકારક કર્યું હતું કે તે વખતેજ તે વિદ્યાર્થીને પારિતોષિક તરીકે જુદા જુદા ગૃહસ્થ તરફથી રૂ ૨૫) મળ્યા હતા. બીજા દિવસની બેઠકના પ્રારંભમાં જર્મનથી આવેલા પ્રોફેસર ડો. હર્મન જે કોબીએ ઇગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. તેને સાર પણ હિંદીમાં સમજાવવામાં આવ્યા હતા. સંસ્કૃતમાં પણ તેઓ ઘેડુંક બેલ્યા હ્તા. મુનિરાજથી કરવામાં For Private And Personal Use Only
SR No.533345
Book TitleJain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1914
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy