SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીથ યાત્રા. તીર્થ યાત્રાં. (લખનાર-કાપડીયા મોતીચંદ ગોરધરલાલ બી, એ. એલ એલ, બી, સેલીસીટર.) વર્તમાન સમય સખત પ્રવૃત્તિને છે. જ્યારથી પાશ્ચાત્ય પ્રજાના સંબંધમાં આર્યાવર્ત અર્થે. છે ત્યારથી તેનું જીવન બંધારણ અને પ્રવૃત્તિ ચકુ તન ફરી ગયું છે અને દિન પ્રતિદિન ફરતું જાય છે. જ્યાં મેટર, રેલવે, તાર, ટપાલ, ટ્રાવે દેડા દેડ કસ્તા હોય. એક સ્થાનકેથી બીજા સ્થાનકે સંદેશા મોકલવાના તથા માલ લવ લઈજ કરવાનાં સાધન બહુ વધી પડ્યાં હોય ત્યાં પ્રવૃત્તિ માર્ગ અનેક પ્રકારે વધી જાય એમાં નવાઈ નથી. તેવા સંગોમાં દરેક વ્યાપાર અને ધંધામાં પ્રવૃત્તિ વધવા સાથે હરીફાઈ પણું વધી જાય એ સુપષ્ટ છે. જીવન કલહના પ્રસંગે આવા અનેક કારણોને લઈને વર્તમાન સમયમાં બહુ વધી ગયા છે. એની સાથે સંસ્કૃતિનાં ચે ગે મેજ શેખનાં સાધને પણ સાથે સાથે ઘણાં વધી ગયાં છે અને મેજ શેખનાં સાધને વધે ત્યારે ખર્ચ પણ જરૂર વધી જાય છે. ખર્ચ વધે ત્યારે ધનપ્રાપ્તિ તેના પ્રમાણમાં જરૂર વધારે ફરવી પડે અને તેને માટે જ્યારે સખત હરીફાઈ ચાલતી હોય ત્યારે વધારે ધ્યાન આપવું પડે એ દેખીતી હકીકત છે. ધન વ્યયના પ્રસંગો વધવાનું અને ધન એકત્ર કરવાના પ્રસંગમાં મહેનતન તો વધવાનું પરિણામ એ આવે છે કે આ જીવ સ્વારથી સાંજ અને રાતના મોડા વખત સુધી ધનપ્રાપ્તિના અનેક પ્રકારનાં સાધનમાં જોડાયેલું રહે છે અને તેને પરિણામે તેને વતુ સ્વરૂપની વિચારણાને, પિતાની સંસાર સ્થિતિના કારણે તપાસવાને અને તેને દુર કરવાનાં સાધન જવાન અને આદરવાને અવકાશ છે ને જાય છે. અતિ પ્રવૃત્તિના ચક્રમાં ચઢેલા અનેક મનુની સ્થિતિનું અવલોકન કરતાં એકદમ જોવામાં આવશે કે તેઓને પિતાની પ્રવૃત્તિમાં એટલી બધી ગાઢતા થઈ ગયેલી હોય છે કે તેઓ આત્મદ્રવ્યને કે તેની હવે પછીની સ્થિતિને વિચાર કરી જ શકતા નથી, કરવાને અવકાશ જ મેળવી શકતા નથી અને વાત એટલી હદ સુધી વધી જાય છે કે પિતાની પ્રવૃત્તિઓને હેતુ અને સાધ્ય શું છે તે પણ વિચારી શકતા નથી. એનું કારણ એ છે કે આ જીવને વિચાર કરવાને અવકાશ જ મળતું નથી અને અનાદિ અભ્યાસને લીધે પ્રભાવ રમણતામાં અને પ્રાપ્ત અપ્રશસ્ત પ્રવૃત્તિના પ્રવાહમાં તણાવામાં તેને એક જાતને માની લીધેલે આનંદ આવે છે. આ પ્રમાણે આ જીવની સામાન્ય પ્રકારે પ્રવૃત્તિ હોવાથી તેણે પિતાને માટે કાંઈ એવા છે જ દએ કે જેથી તે અનાદિ નિદ્રાને ત્યાગ કરી દેવ For Private And Personal Use Only
SR No.533334
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy