SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જૈન ધર્મ પ્રકાશ. અર્થાત્ શ્રેયકામ કરતાં મહાન પુરુષોને પણ પ્રાયઃ ઘણું વિને નડે છે. અને નબળાં કાર્ય કરનારને કવચિતુજ વિશ નડે છે. કેમકે નબળું કાર્ય જાતે જ વિવરૂપ છે, અને અધોગતિ જવાવાળાઓને પ્રાયઃ તેવાં નબળાં કામ કરવાં જે છે. એ નબળાં કાર્ય કરીને તેથી થનારી ગતિને અવશ્ય પામવા નિર્માણ થયેલું જ હોય તે તે કાર્ય ક્યાં વગર રહેવાતું જ નથી. ત્યારે શ્રેયકમ પ્રાયઃ રાદૃગતિગામી સજજનોનેજ કરવું સૂજે છે. તેવા કાર્ય સિદ્ધ કરવા તેમને કંઈ ને કંઈ કટીમાંથી પસાર થવું પડે છે. પરંતુ જે પુન્યવંત ! !ાઓ દઢ ટેવાતી. અને કાર્યદક્ષ હોય છે તે સાવધાનપણે સ્વીકાર્ય સિદ્ધિ માટે પ્રયત્ન કયાં કરે છે. વિનોથી તે કંઈ ડરી જતા નથી. અથવા કાયર જનોની તેઓ આગળથી વિધની સંભાવના કરીને કાર્ય કરવામાં શિથિલતા સેવતા નરસી; પરંતુ ઉત્સાહભેર આદરેલા ઉચિત કાર્યને પાર મૂકવા બનતું કરે છે. મતલબ કે તેઓ નકામો વિલંબ કયોવગર ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, અને ધલી મુરાદ પાર પાડવા દરેક પ્રયત્ન સેવે છે. એવા પુરૂજ ખરેખર કાર્ય દક્ષ હોઈ સ્વઈષ્ટ કાર્ય સાધી શકે છે. એ વાત નિશ્ચયરૂપ જાણીને આપણે પણ કોઈ પણ હિત કાર્યમાં દીર્ઘસૂત્રીપણું–એદી–આળસુપણું નહિ કરતાં શીધ્ર સ્વઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરી તે આદરેલા કાર્યમાં શ્રદ્ધા અને હિમ્મતથી મચ્યા રહેવું જોઈએ. એજ આપણું અભણ કાર્ય સિદ્ધ કરવાને ઉત્તમ ઉપાય છે. જાતમહેનત.” ૫ “જે કાર્ય તમે જાતે-જાતમહેનતથી કરી શકે તે કરવા બીજાને ભળાવતા નહિ.” “બૃહસ્પતિ વિશ્વાસ ' નીતિ શાસ્ત્રકાર બૃહસ્પતિ કહે છે કે કે અને વિશ્વાસ રાખતા નહિ-કેઇના ભસે રહેતા નહિ. વળી કહ્યું છે કે – પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસ એ કાનકું કરે અભ્યાસા, લહે સદા સુખ વસા, આપ સ્વભાવ.” મતલબ કે પારકી આશા રાખી બેસી રહેતાં પરિણામ પ્રાયઃ નિરાશામાં વે છે. ત્યારે સ્વાશ્રય-આત્મા ઉપર ઉભા રહેતાં પરિણામ આશાજનક આવે છે. તેથી જ સ્વાનુભવી જને અ પૂર્વક ઉપદેશ આપે છે કે આત્મબળ ઉપ જ અધિક વિશ્વાસ રાખો. કહ્યું છે કે “ આપ સમાન બળ નહિ અને રઘ સમાન જળ નહિ ? તેથી પણ એજ સ્પષ્ટ થાય છે. આમામાં અનંત શક્તિ ભરેલી છે તેને સમજી તેમાં વિશ્વાસ રાખી જેમ બને તેમ અંતર્મુખ મને. પરમુખપ્રેક્ષી થઈ કાયરતા ન ધરે, જેમ જેમ વકર્તવ્યમાં કાયરતા For Private And Personal Use Only
SR No.533330
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages44
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy