SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનપત્ર. વાર્તિકમાં કહ્યું છે કે “ધર્મનું આખ્યાન ચાલતું હોય, નજીકના સગા કે નેહીનું મરણ થયું હોય અથવા મહા વ્યાધિ થયે હોય તે પ્રસંગે જેવી બુદ્ધિ થાય છે તે બુદ્ધિ જે નિશ્ચળ રહે તો સંસાર બંધનથી કેણુ મુક્ત ન થઈ જાય.' ? ” આ સંબંધમાં વિશેષ વિવેચન હવે પછી કરવામાં આવશે, પરંતુ એક હકીકત અને ખાસ પ્રાપ્ત થાય છે કે આવા આવા જે ઝળકાટો વચ્ચે વચ્ચે આવી જાય છે, થઈ જાય છે અને અન્ય ઉપદેશથી સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે, જે તેવા પ્રસં પ્રાપ્ત કરાવનાર ગુરૂને વેગ નિરંતર ચાલ્યા ન કરે તે પાછા વિસરાળ થઈ જાય છે. ' મનુષ્ય સ્વભાવના આ અતિ ઉપયોગી આવિર્ભવની આટલી હકીકત બહુ લંબાણુ પ્રસ્તાવનાપૂર્વક જણાવવાની ખાસ આવશ્યક્તા શા માટે છે તે હવે પછી જણાશે. હવે એ હકીક્તને અહીં બાકીમાં રાખી આ પણે સત્સંગ-વિદ્વત્સવના શું છે અને તે બાબતને વર્તમાન ફુટ કરેલી હકીકત સાથે કે સંબંધ છે તે વિચારીએ અને તેની સાથે સત્સંગથી શું શું લાભ થવા સંભવિત છે તેનું કાંઈક સ્પષ્ટ દર્શન કરવા પ્રયાસ કરીએ. અપૂર્ણ. ભારતવર્ષના શ્વેતાંબર જૈન પ્રતિનિધિ તરફથી રજપૂતાનાના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ અને અજમેરના ચીફ કમીશનર માન્યવર સર. ઈ. જી, કંવીન આઈ. સી. એસ. સી. એસ આઈ કે. સી. આઈ ઈ. ને આપવામાં આવેલું માનપત્ર. મહેરબાન સાહેબ, દિલ્હી દરબારના માનવંત અને શુભ પ્રસંગની યાદગીરીની ખુશાલીમાં ના મદાર શહેનશાહ અને શહેનશાહ બાનુએ આપની બ્રીટીશ મહા સામ્રાજ્યની આ મૂલ્ય સેવાઓની કદર બૂજીને ગ્ય રીતે કે. સી. આઈ. ઈ. ને માનવ ખેતાબ १. राजद्वारे ( धर्माख्याने ) स्मशाने च, रोगीणां या मतियेत् । यदि सा निश्चला बुद्धिः, को न मुच्येत बंधनात् ॥ For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy