SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનમ કાશ.. - જે તેના કરસંપુટમાં આપેલ પુષ્પ સમવસરણની બહાર પડે તે શંકાદિક અતિચારને આલેચવા પૂર્વક “ચત્તારિ સરણે પવમિ ” એ રૂ૫ ચાર શરણાં લેવાં, પંચ પરમેષ્ટિ નમસ્કાર પાઠ વિગેરે તેને કરાવવા. આ વિધિ કેટલી વાર કરાવે? તે કહે છે કે ત્રણવાર કરાવે, તે ઉપરાંત નિષેધ કરે. તેને પરમાર્થ એ છે કે પહેલીવાર મુખ્ય સમવસરણની બહાર પડવાથી ઉપર મુજબ કરાવી ફરી પુષ્પ સમવસરણમાં લેવા માટે પૂર્વલી પરે જ દીક્ષા લેનારે પ્રવર્તવું. બીજી વખત પણ જે પુષ્પ સમવસરણની બહાર જ પડે તે પણ ઉપર મુજબ બધે વિધિ ફરી કરાવે. તે વિધિ સાચવ્યા બાદ ત્રીજીવાર ફરી પ્રસન્ન ચિત્તથી પુદ ક્ષેપવવા દીક્ષા લેનારે પ્રવર્તવું. જો ત્રીજીવાર પણ બહાર જ પુષ્પ પડે તે તેની યોગ્યતા (દીક્ષા સંબંધી) ને નિર્ણય થઈ જવાથી તેને દીક્ષા ગ્રહણ કરવાને આવી રીતે નિવેધ કરે કે “ભદ્ર! બીજા અવસરે તને દીક્ષા દઈ શકાશે. હવણ નહિ ? ઈત્યાદિક કેમળ વચનેવરેજ નિષેધ કરે. ર૭. જે પુષ્પ સમવસરણમાંજ પડે તે નિષેધ નહિ કરતાં તેની ઉચિતતા જણાવે છે.” પૂત રીતિ મુજબ સમવસરણ મધ્યે પુષ્પ પડવાથી દીક્ષા ઉચિત વિશે દ્ધિની પ્રતીતિ થયા બાદ દીક્ષા જીવને પૂર્વે બધે આંખને પાટો દૂર કરી ગુરૂ મહારાજાએ પ્રભુના દર્શન કરાવવાં અથવા તેનામાં સમ્યગ દર્શન (સમતિ) આરોપવું. પછી દીક્ષા સંબંધી સ્થિતિ–મર્યાદાનું કથન કરવું કે “હે ભદ્ર! દીક્ષા અંગીકાર કરવાને ઉપર બતાવ્યું તે કમ-સંપ્રદાય છે. વળી તેની પ્રશંસા કરવી એમ કહીને કે “ભુવનગુરૂ ભગવાનની પાસે જ પુષ્પ પડવાથી તારૂં શીવ્ર કલ્યાણ થવું નિશ્ચિત જણાય છે માટે તું ધન્ય છે.” અથવા “સકળ કલ્યાસુકારી શ્રી ભાગવતી દીક્ષા તુજને પ્રાપ્ત થઈ તેથી તારૂં સર્વ શ્રેય થઈ ચુકયું માટે તું ધન્ય છે.” તથા ઉપર મુજબ પરીક્ષા કરવાથી તે ખુશી થયે છે કે કેમ? તે આચાર્ય મહારાજાએ જોવું. તેના મુખ-પ્રસન્નતાદિક લક્ષણથી તેને નિશ્ચય કરે. ૨૮. “એ પ્રમાણે ગુરૂ કર્તવ્ય કહ્યું. હવે શિષ્ય કર્તવ્ય બતાવે છે. ” પછી ત્રણ પ્રદક્ષિણા દઈને શિષ્ય નિર્મળ ચિત્ત-રત્નથી સમ્યગુરીતે અત્ર પ્રસ્તાવે (દીક્ષા દીધે છો) ગુરૂ મહારાજને લગારે સંકોચ વગર સર્વથા આત્મનિવેદન કરવું. મતલબ કે “ હું આપશ્રીને કિકર છું, આપ આ દિન સેવકના સ્વામી છે” એવી રીતે નિર્દભણે “આત્માર્પણ” ગુરૂને કરવું. ૨૯ આવી રીતે નિષ્કપટપણે આત્માર્પણ કરવું તે “ગુરૂભક્તિ ” છે તથા અને For Private And Personal Use Only
SR No.533323
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy