________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર!(તે વિના) મૃગતૃષ્ણ (ઝાંઝવા) નાં જળનું પાન કરતે (કરવા મથત ) તું કદાપિ તૃમિને પામી શકીશ નહિં.
- ૮, દિનબંધુ એવા જીનેશ્વરને તું ભજ અને સુખે શિવગતિ આપે, સકળ આપદાને કાપે અને સર્વ વ્યાધિઓને શમાવે એવા શાન્ત સુધારસનું રૂચિપૂર્વક પાન કર.
છઠ્ઠી અશુચિ ભાવના.” ૧, જેમ છિદ્રયુક્ત મદિરાને ઘડો તેમાંથી ટપકતા મદિરાનાં ટીપાંના સંગથી અશુદ્ધ થયેલ હોવાથી બાહિરના ભાગમાં પવિત્ર માટીથી મસળીને તેને ગંગાજળથી બહાર છે છતાં તે પવિત્ર થઈ શક નથી. તેમ પ્રાણીઓની કાયા મહા બિભત્સ (દગચ્છનીય) હાડકાં,વિષ્ટા, મૂત્ર અને રજસૂના ઢગલારૂપ હોવાથી ગમે તેટલા ઉપચારથી પણ શુદ્ધ થઈ શકતી નથી.
૨, ૩, મેહમૂઢ પ્રાણીઓ વારંવાર શુદ્ધ જળથી અત્યંત નાન કરે છે, અને મલથી ભરેલા દેહને ચંદનથી ચર્ચે છે અને એમ કરીને આપણે નિર્મળ થયા એમ માની ખુશી થાય છે, પણ તે શુદ્ધ થઈ શકતા નથી, કેમકે ઉકરડો એમ શી રીતે સાફ થઈ શકે ? જેમ કપૂર વિગેરે સુગંધી દ્રવ્યથી વાસિત કરેલું પણ લસણ સુગંધિ થતું નથી અને જાપચંત ઉપકાર કર્યા છતાં પણ દુર્જન સજજનતાને પામતું નથી, તેમ આ મનુષ્યોને દેહ પણ પિતાની સ્વાભાવિક અશુચિને જાતે નથી. બહુપેરે સુગંધિ તેલ વિગેરેથી મસળ્યા છતાં, વસ્ત્રાલંકારથી વિભૂષિત કયો છતાં અને ખાનપાનથી પુષ્ટ કર્યા છતાં, તે વિશ્વાસ કરવા યુગ્ય થતું નથી. મતલબ કે ગમે તેટલા ઉપચારથી પણ દેડ પિતાનો જાતિસ્વભાવ તજ નથી.
જ, જેને સંસર્ગ ( ગ) પાણીને પવિત્ર વસ્તુઓ પણ જલદી અપવિત્ર થઈ જાય છે, તેમ છતાં અહો ! એવા અશુચિના કારણરૂપ શરીરને શુદ્ધ કરવાને જમ જીને કે ભારે પીડાકારક છે!
૫, એવી રીતે શરીરશચને પક્ષ બેટે જાણીને સકળ દેષરૂપ મળને સાફ કરનાર, પથ્ય (હિતકર ) અને જગતમાં પરમ પવિત્ર એવા ધર્મને જ હે આત્મા તું તારા હૃદયમાં નિશ્ચયપૂર્વક ધારણ કર.
“ષષ્ઠ ભાવનાષ્ટક,” ૧, હે આત્મન્ ! આ દેહ અતિ અપવિત્ર છે એમ તું વિચાર અને તારા
For Private And Personal Use Only