SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. થાય છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ-એકતા અમંદ આનંદથી ભરેલી હોય છે.” વિવરણ–જે ભવ્યજને વીતરાગ વચનાનુસાર સતક્રિયાનું સ્વરૂપ સમજીને તેનું સેવન કરે છે, અને અસક્રિયાને પણ જાણીને તેને પરિહાર કરે છે, તે અનુ ને રાગાદિક સમસ્ત વિકારોને વિનાશ કરી તેિજ વિતરાગ દશાને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વિવ, ગરલ.અનનુષ્ઠાન, તબ્ધતું અને અમૃત-ક્રિયા એવી રીતે ક્રિયાના પાંચ પ્રકાર છે. તેમાંથી પ્રથમની ત્રણ પ્રકારની ક્રિયા પરિહરવાની છે અને પાછળની બે પ્રકારની ક્રિયા આદરવાની છે. જે ધર્મકરણી કેવળ આ લેકના સુખને માટે યશ, કીર્તિ કે પ્રતિષ્ઠાદિક નિમિત્તેજ કરવામાં આવે તે વિષક્રિયા કહેવાય છે. જે પરલોકનાજ સુખને માટે એટલે દેવતા પ્રમુખની અદ્ધિ પામવા માટે ધર્મકરણી કરવામાં આવે તે ગરલ કિયા કહેવાય છે. જે કાંઈ પણ સમજણ વગર કેવળ સ મૂર્ણિમ પ્રાયઃકરણી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. જે કરણીના હેતુ પ્રયોજન પ્રમુખ સારી રીતે સમજીને સેવવામાં આવે તે હેતુ-કિયા કહેવાય છે. અને તે તદ્દન હેતુ કિયા વિકરણ શુદ્ધિથી કરતાં જે અપૂર્વ શાંતિ–સ્થિરતા-પ્રસન્નતા પ્રગટે છે તે અમૃતકિયા કહેવાય છે. પ્રથમની ત્રણ ક્રિયાઓ સંસારમાં પરિભ્રમણ કરાવનારી થાય છે, ત્યારે પાછળની બે ક્રિયાઓ સ્વર્ગ અને મક્ષ રૂપ ઉત્તમ ફળ સમર્પે છે. એમ સમજી પ્રથમની ત્રણ ક્રિયાને સર્વ પરહાર કરવા પૂર્વક પાછળની બે પિને આદર કરવા સદાય લક્ષ રાખવું ઘટે છે. કશી જિનવચનાનુસાર ઉપર મુજબ ક્રિયાનું સ્વરૂપ સમજી જે અસ ક્રિયાને ત્યાગ કરી સત્ ક્રિયાને સાવધાનપણે સેવવા ઉજમાળ રહે છે તે સતત અકાસના બળથી અનુક્રમે અસંગપણને પ્રાપ્ત થાય છે. પિતાને કરવા યોગ્ય કાર્ય કંઈ પણ પ્રયાસ કે વિકફ વગર તે સહેજે સાધી શકે છે. રાગદ્વેષાદિક દેવી તે કયાંય પણ કિંચિત્ લેપતા નથી, પરંતુ અત્યુત્તમ પુરૂષાર્થ વડે તે રાગદ્વેષાદિક સમસ્ત વિકારને નિર્મૂળ કરી શકે છે. તે મહાભાવ અસંગ ક્રિયાને જે અપૂર્વ લાશ પામે છે તેજ સહજ આનંદથી છલકતી જ્ઞાન અને ક્રિયાની અભેદ ભૂમિ સમજવી. તેમાં સ્વાભાવિક આનંદની રેલ છેલ થાય છે. તે અસંગ ક્રિયાને લાભ જિનેશ્વર પ્રભુના એકાંત હિતકારી વચનને અનુસરીને (નહિં કે આપમતિથી) ધર્મકરણી કરવાના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરે અષ્ટકમાં કહ્યું છે કે પ્રસિવિશાખા, સાધનસ્થિતિઃ” તિપિતાના અધિકાર, અવિરત, દેશવિરતિ કે સર્વવિરતિને અને નુસારે શાસ્ત્રમાં ધર્મકરણ કરવામાં મયદા બતાવેલી છે. તે મુજબ જે ભવ્ય જને સદગુરૂ સમીપે પોતાના અધિકારને તે તદનુકુળ કરીને નિશ્ચય કરીને વિ. શક્તિ વ્યા વગર ઉદાસિત ભાવે શયતાદિક દે નિવારીને પ્રયત્ન કરે છે For Private And Personal Use Only
SR No.533309
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy