SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વજ્ઞ ધર્મની યોગ્યતા, કપ છનારને, પ્રમાણિકપણે અલ્પ વ્યાપાર કરનારને, કોઈને દુઃખ લાગે તેવા પણ સત્ય ભાષીને અને શરીરશક્તિ મંદ છતાં પણ તપ કરવામાં તત્પરતા વાળાને જેઈને તેની પ્રશંસા–અનુમોદના કરવાને બદલે નિદા કરનારાની સંખ્યા ઘણું મટી પ્રષ્ટિએ પડે છે. આ દુર્ભાગ્યની-ધર્મની ચોગ્યતા ન પ્રાપ્ત કરવાની નિશાની છે, માટે ધર્મની રેગ્યતા મેળવવા ઇચ્છનારે કોઈ પણ જીવમાં કઈ પણ પ્રકારને અ૯પ કે વિશેષ ગુણ દેખાય તે તેના પર રાગ કરે–તેની પ્રશ. સા કરવી, અનુદના કરવી, પતે તેવા ગુણ પ્રાપ્ત કરવાના ખપી થવું, પિતાથી તે ગુણ ધારણ ન કરી શકાવાને માટે હૃદયમાં પશ્ચાતાપ કરે, તેની નિંદા તે કદિ પણ ન કરવી, કોઈ નિંદા કરતું હોય તે તેને બંધ કરવા બનતા પ્રયત્ન કરવો, તેવા ગુણીનું બહુમાન કરવું, તેને આદર સત્કાર કરે, બની શકે તેવી રીતે તેની સેવા શક્તિ કરવી, બનતી સહાય આપવી, તેને ગુણ તત્પર રહેવા માટે ઉત્તેજન આપવું અને સાબાશી આપવી આ સર્વ, ગુણ પ્રાપ્ત કરવાના અને સાથેજ ધર્મના સેગ્યતા મેળવવાના પ્રકાર છે. આ વિષય પણ ઘણે પ્રિઢ છતાં સંક્ષિપ્ત સ્થિતિમાં જ રાખવામાં આવે છે. સાતમું વચન એ કહ્યું છે કે ૨ ના વૌદ્ધિા –ચોરવાની બુદ્ધિ ન કરવી. કેઈની વસ્તુ તેના આપશિવાય લઈ લેવી, છુપાવવી, વેચી ખાવી, પિતાના ઉપયોગમાં લેવી, કેઈને આપી દેવી, એ સર્વ વાત તે દૂર રહે પણ શાસ્ત્રકાર કહે છે કે-ધર્મની ગ્યતા મેળવવાની ઈચ્છાવાળાએ શેરવાની બુદ્ધિ-ઈચ્છા-વિચાર-સંકલ્પ પણ કર નહી. કેમકે દરેક ક્રિયામાં પ્રથમ તે વિચાર ઉદભવે છે, પછી તે પુષ્ટ થાય છે અને તેને પરિણામે તે કાર્ય થાય છે. આ પ્રકાર શુભ કે અશુભ બંને પ્રકારની ફિ. માટે સમજ. ચોરી કરવી–ખાતર પાડવું–ગાંડ કાપવી-તાળું તોડવું-ધાડ પાડવી-આ બધા પ્રકાર તે લેકમાં પણ વિરૂદ્ધ ગણાય છે અને તેમાં રાજદં, ડદિ મહાન ભયો રહેલા છે. તેનું વર્જન તે પ્રાયે ઘણા મનુષ્યો સહજ કરે છે. પરંતુ અહીં જે ચિાર્યબુદ્ધિ તજવાની કહી છે તે તેવા કાર્યો પરત્વેન સમજતાં જરા સૂક્ષ્મ હકીકત તરફ દષ્ટિ કરવા માટે કહેલ છે. કોઈને ઠગીને-તે ન સમજે તેવી રીતે– અપ્રમાણિક પણાથી ઊપરથી સત્ય લાગતું અસત્ય બેલીને, કોઈનું દ્રવ્ય પિતાનું કરવાની ઈચ્છા કરવી, રાજગ્રાહ્ય જકાત વિગેરેમાં, ભાગીદારીથી ચાલતા વ્યાપારમાં મજ તેના વિશ્વાસ પર સેપેલા દ્રવ્યને લગતા કેઈપણ કાર્યમાં તેમાંથી અલ્પ કે વિશેષ દ્રવ્ય પિતાનું કરવાનો સંક૯પ કે વિચાર કરે તે ચર્યબુદ્ધિ છે. તે તજ. For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy