SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ જૈન ધર્મ પ્રકાશ. ફરવા લાગ્યા. એ પ્રમાણે કેધ છેષાદિક દોથી ભરપૂર જીવને કર્મ ભમાવે તેમ તે વીરે કુતૂહલવડે તે હસ્તીને ચિરકાળ સુધી ભમા. વારંવાર ડાબી બાજુવડે ફરવાથી થાકીને શિથિલ થયેલો તે હાથી અત્યંત ક્રોધ પામીને કૃત્રિમ (ચિત્રેલા) હાથી ની જેમ નિશ્ચળ ઉભું રહો. એટલે શ્રમને લીધે જેને મદ સુકાઈ ગયે છે, જેના નેત્રો ગીચાઈ ગયા છે અને જે નિઃશ્વાસ મુકી રહ્યા છે એવા તે હાથીની સામે જઈને કુમારે તેની સૂંઢ ઉપર પિતાના હાથને થાપ માર્યો. તે વખતે ક્રોધાગ્નિથી જાણે. રૂધિર ઝરતું હોય તેવા રક્ત નેત્રને ધારણ કરતા તે દુષ્ટ હાથીએ જેમ દુષ્ટ સર્ષ પિતાની ફણાને પછાડે તેમ પિતાની સૂંઢ તે કુમાર પર પછાડી. પણ લેણદાર ધનિકને દુખ દેણદાર હંફાવે તેમ રાજપુત્રે તેના ભાગમાં ન આવતાં નાસીને, ઉભા રહીને, સુઈ જઈને તથા કુદકા મારીને તે હાથીને આકુળ વ્યાકુળ કરી નાખે. પછી લેક9 પર જેમ યોગી ચડે તેમ વેગને લીધે જેને કુદકે જેઈપણ શકાયો નથી એ તે કુમાર જાણે પથ્થરને બનાવેલો હોય તેવા સ્થિર થયેલા તે હાથી ઉપર ચડી ગયે. ત્યારપછી સર્વજન સમૂડ તેને જોવાને કેતુકવાળા થયા, એવામાં તે તે ઉત્તમ હસ્તિ પક્ષીની જેમ પૃથ્વી પરથી આકાશમાં ઉડ્યા. દેદીપ્યમાન વીજળીવાળા મેઘની જેમ કુમારની કાંતિથી શોભતા શ્યામ કાંતવાળા તે હાથીને સર્વ જનેએ આકાશિમાં જ જોયે. “આ જાય આ જાય,”એમ સર્વ જન મેઘના ગરવની જેમ બેલતા હતા, તેવામાં તે કુમારરૂપી મણિયને ચોરનાર તે હાથી અદશ્ય થઈ ગયે. તે વખતે “આ શુ?” એવા પ્રકારની ચિંતાથી નિશ્ચળ થયેલા અને જાણે ચિત્રમાંજ રહેલા હોય તેવા લોકોએ કરીને તે આખી નગરી જાણે ચિત્રશાળા હોય તેવી થઈ ગઈ. નેત્રને પ્રિયતમ એવા તે કુમારને હસ્તિઓ હરણ કરવાથી જાણે પિતાનું સર્વસ્વ ગયું હોય, તેમ લેકના નેત્રોએ અશ્રુધારા મૂકવા માંડી. તે હાથીના જવાથી (જવાને માર્ગ આપવાથી) શત્રુરૂપ થયેલા આકાશને હણવા માટે નીચું મુખ રાખીને નિઃસ્વારા મૂકતા જનોએ નિઃશ્વાસવડે ધૂળ ઉડાડી. પ્રિયકુમારની પા છળ જવા માટે આકુળ વ્યાકુળ થયેલા લોકોને પ્રાણ આયુ જેના દશ દ્વારો સંધ્યા છે, એવા દેહરૂપી ઘરને વિષે ચોતરફ ભમવા લાગ્યા. તે વખતે તે કુમારની સાથે જ પિતાનું હૃદય જવાથી પતિની પુત્રી કળાવતી મૂછ પામી. તે જોઈને દાઝયા ઉપર ફેલાની જેમ દુઃખસમૂહ રૂ૫ સાગરમાં ડૂબતે રાજા “હવે શું કરવું ? એવા વિચારથી જડ થઈ ગયો. થોડીવારે ચેતના પામેલી તે રાજપુત્રી તે હાથીને માર્ગ તરફ દ્રષ્ટિ રાખીને “હે પ્રાણેશ ! કયાં ગયા ?' એવી ઉકિત ગભિત બેલતી રૂદન કરવા લાગી. તે વખતે લોકોને મહા ઉત્કટ દુઃખ થાય તેમાં For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy