SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સુત્ર વિવરણ ૨૮, ને જલાંજલી આપી, શાશ્વત સુખને ખાત્રીથી મેળવી આપનાર આત્મનિગ્રહરૂપ સંયમ આદરવાને સન્મુખ થયેલે આત્મા પિતે પિતાને સંબોધીને કહે છે કે-હવેથી હું મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા રૂપ પંચ પ્રમાદને વશ પડી જે અશુદ્ધ ઉપયોગમાંજ મન હતો તેને ત્યાગ કરી અહિંસાદિ ઉત્તમ વતેમાં આદરવાળે થઈ, દ્રવ્ય ભાવથી પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ તે તે મહત્વનું પરિપાલન કરવા માટે નિજ લક્ષ સાધવા શુદ્ધ ઉપયોગ રૂપી પરમાર્થ પિતાનેજ આશ્રય કરીશ અને પિતાની આત્મ પરિણતિમાંજ રતિ-પ્રીતિ ધારી રાખવા રૂપ પિતાની ખરી માતાનું આલંબન લહીશ, તેથી અન્ય સાંસારિક માત પિતાને હું નમ્રપણે વિનહું છું કે આપ મને સુખકર સંયમ સાધવાને માટે અનુમતિ આપે. વિવરણ –આ વાત અનુભવ સિદ્ધ છે કે જ્યાં સુધી આપણને પ્રાપ્ત વસ્તુથી કેઈ ઉચ્ચ પવિત્ર વસ્તુનું યથાર્થ ભાન અને શ્રદ્ધાન થયું નથી ત્યાં સુધી પ્રાપ્ત વસ્તુ માં આપણને લાગેલે મેહ છૂટી શકતું નથી. પણ જ્યારે કેઈ ઉચ્ચતર પવિત્ર વ. સ્તુનું આપણને યથાર્થ ભાન અને પ્રતીતિ થાય છે ત્યારે તે પવિત્ર વસ્તુ પ્રત્યે આ પણને સ્વભાવિક પ્રેમ-પૂજ્યભાવ પ્રગટે છે અને તે પ્રગટેલે પ્રેમ-પૂજ્યભાવ તે પ્રત્યે આપણી અંત:કરણની ઉપાસનાથી દિન પ્રતિદિન વધતું જાય છે. જેમ જેમ આપણે પ્રેમ આ દિશામાં વધતું જાય છે તેમ તેમ પ્રથમની માયિક વસ્તુમાં લાગેલે આપણે મેહ છે તે જાય છે. જ્યારે આપણે પવિત્ર વસ્તુમાં સંપૂર્ણ પ્રેમ જગાડીને તેને જેટલો વખત સુધી અનન્ય ભાવે ભેટીયે છીએ ત્યારે તેટલા વખત સુધી અન્ય દિશામાં લાગી રહેલે આપણે મેહ છૂટી જાય છે. એવી રીતે અનુક્રમે જ્યારે અભ્યાસ વિશેષથી અસાર અને અનિત્ય વસ્તુમાં લાગેલે પ્રેમ-મોહ સમૂળગો છૂટી જાય છે તેમજ સારભૂત અને નિત્ય એવા પરમાત્મ તત્ત્વમાંજ પૂર્ણ પ્રેમ લાગે છે ત્યારે પરમ સુખદાયક પરમાત્મ તત્વ પામવા માટે જે જે સત સાધને સત્ શાસ્ત્રોમાં ફરમાવ્યાં છે તે તે સત્ સાધને સત્ શાસ્ત્ર નીતિ મુજબ સેવવા આત્મા અતિ આદર પૂર્વક ઉજમાળ થાય છે. એવે વખતે ચકવતી રાજા ૫ણ પિતાના સંપૂર્ણ સામ્રાજ્યને તિલાંજલિ દેતાં લગારે વિલંબ કરતું નથી. તે પિતાની કણિક સિદ્ધિને એક પલકમાં પરહરી અક્ષય અદ્ધિ સિદ્ધિને આપનાર સંયમ d યને અંગીકાર કરે છે. તે સંયમના મુખ્ય પણે ૧૭ભેદ કહેલા છે. અહિંસા, સ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતા રૂ૫ પાંચ મહાવ્રતનું યથાવિધિ પાલન, પર પ્રિનું યથાર્થ રીતે દમન, ક્રોધાદિક ચારે કષાયને જય અને મન વચન તથા કયાની શુદ્ધિ, એ ૧૭ પ્રકાર વડે સંયમનું આરાધન થઈ શકે છે. ઉક્ત સંયમનું યાવિધિ આરાધના કરવા માટે રાગ દ્વેષ અને મહાદિક બંધનથી સદંતર દૂર રહેવું જે For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy