SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. તિજ્ઞાને પૂર્ણ રીતે પાળનાર શુદ્ધમતિએ સત્વર ગમન કરતાં પોતાની સન્મુખ અને લિકિક આકારવાળું, કેવળ સ્ફટિકનું જ બનેલું અને નિર્ભાગી કે ભાગ્યશાળીએ પૂર્વે કદી નહીં જોયેલું એવું લેકનાથે બતાવેલું એક મોટું ગૃહ જોયું. તે ગૃહ જોઈને જ શુદ્ધબુદ્ધિનું હૃદય પરમાનંદમાં મગ્ન થઈ ગયું, અને તે ચકી તથા ઈન્દ્રની સંપદાને પણ તૃણ સમાન ગણવા લાગ્યો. તે અવસરે “જેમાં તને કઈ ભય નથી એવા આ મહાપ્રાસાદમાં તે તત્કાળ પ્રવેશ કર.” એમ શુદ્ધબુદ્ધિને કહીને લોકનાથ અન્ય લોકેની ઈષ્ટ સિદ્ધિને માટે ત્યાંથી પાછા વળ્યા. આ પ્રમાણેની ત્રણ મિત્રે સંબંધી કથા કહીને ચારણ મુનિ બેલ્યા કે—'હે રામ રાજા! સર્વ ઈષ્ટને આપનાર અને સર્વ કચ્છને દૂર કરનાર એવા તે પૂજ્ય લેકનાઘને તું પણ મિત્ર કર અને શોક દુઃખનો ત્યાગ કર. દુઃખ ધારણ કરવાથી કદાપિ ઈચ્છતની પ્રાપ્તિ થતી નથી. તેથી જે ઈછાર્થની સિદ્ધિ કરવી હોય તે તું જલદીથી તે લોકનાથનું આરાધન કર.” આ પ્રમાણેના મુનિના વચન સાંભળીને પૃથ્વી પતિએ તેમને પૂછયું કે “હે પૂજ્ય! તે લેકનાથ કોણ છે? અને તેનું આ રાધન શી રીતે થાય? તે આપ બતાવે. હું મારી પ્રિયા સહિત તેનું અવશ્ય આરાધન કરીશ. ” વિદ્યાધર મુનિ બોલ્યા કે “હે રાજ! આ કથાને આંતર બુદ્ધિથી વિચાર એટલે તેનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. ” આ સંસારજ અપાર એવુ દૂરપાર નામનું નગર છે. તેમાં ઉગ્ર કર્મના પરિણામ રૂપે ઉગ્રશાસન નામને રાજા છે. શુદ્ધ સ્વરૂપ વાળા જીવને તે રાજાને શુદ્ધમતિ નામને મંત્રી કહેલો છે. તે મંત્રીને પૂર્વે કહેલા ગુણવાળે નિત્યમિત્ર તે તેનું શરીર જાણવું. તેને પવમિત્ર તે તેને સગા સંબંધ જાણવા. વિશ્વહિત નામને પૂજ્ય પુરૂષ તે ગુરૂને ઉપદેશ જાણ. હે રાજા ! તેની શિક્ષાથી તેણે જે પ્રણામમિત્ર કર્યો તે લેકનાથ નામને અદ્દભુત સામર્થ્યવાનૂ ધર્મ જાણ. તે મંત્રીએ સુઈને ઉડ્યા પછી જે ફર માણસ જેવા, તે વ્યાધિ, મૃત્યુ અને દુર્ગતિના કારણભૂત એવા દુષ્કર્મના સમહ જાણવા. તેઓએ રૂ ધેલા શુદ્ધમતિ જીવે ૨છા રહિત થયેલા શરીરને જોઈને તેના પર પિત જે ઉપકાર કરેલ તેને ભસ્મમાં વૃત નાખ્યાની જેમ નિષ્ફળ માન્ય. કેઈ કઈ વખત પિતાના સ્વજનોને કાંઈ કાંઈ આપ્યું હતું, તેથી તે વખતે તેઓ દુઃખા થઈને તેની પાછળ દોડ્યા, એટલું તેણે કીક માન્યું. સ્વજને શેથી આકંદ કરતા રહ્યા, શરીરે તેને ગળે ઝાલીને બહાર કાઢી અને કર્મ પરિણામ રાજાના સેવકેએ તેને દુઃખ For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy