SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ૩ યાનિમિત્તે ચડતાં કે ઉતરતાં કોઈ પ્રકારની વિકથા કરવી નહીં. ઘરસં. સારની કે વ્યાપાર રોજગારની કુથી અહીં તો ભૂલી જ જવી. તેના બદલામાં કયાં તે નવકારમંત્ર ગણતાં ઉપગ પૂર્વક ચડવું, અથવા કોઈ સ્વધમી બંધુ સાથે તીર્થ રાજના ગુણગાન કરતાં અથવા ધર્મચર્ચા કરતાં ઉપગ પૂર્વક ચડવું. જે વાતે કરતાં ચડવાથી જીવયતના ન પળે તો માનપજ ચડવું. ૪ માર્ગે ચાલતાં જ્યાં જ્યાં પગલાંઓ અને કાર્યોત્સર્ગ મુદ્રાની મૂર્તિઓ આવે ત્યાં ત્યાં પગે લાગતાં જવું. ઉપેક્ષા કરતાં ચાલ્યા ન જવું. પ આ તળે ચડતાં ઘણી વખત પવન બહુ હોય છે, તેથી તેમજ અન્ય પ્રકારે પણ મયૉદા જાળવવાના હેતુથી અને અન્ય યાત્રાળુઓને મેહના વિશેષ કારણભૂત ન થવા માટે સ્ત્રીવર્ગો શરીરને શોભાવે તેવા પણ મર્યાદશીળા વસ્ત્ર ધારણ કરવા અને મર્યાદા પૂર્વક ચડવું. ૬ ઉપર પહોંચ્યા બાદ ત્રણ પ્રદક્ષિણા દેતાં ચારે બાજુ ઉપગ રાખી ત્યાં જ્યાં જિનબિંબ હોય ત્યાં ત્યાં નમસ્કાર કરવાની ટેવ રાખવી. ૭ સર્વત્ર દર્શન કરી, પાંચ ચિત્યવંદન કરી, પૂજા નિમિત્તે સ્નાન કરવા જતાં પ્રથમ પોતાનું જ પંચીયું હોય તે સ્નાન કરવા માટે પહેરવું. ત્યાં ખાતાનું પંચાલ પિતીયું બનતાં સુધી ન પહેરવું. કારણ કે શરીરાદિકના પરવશપણુથી કેટલાક નાન કરનારાઓ હનાન કરતાં લઘુનિશ્ચિત કરે છે, જેથી તેનું પહેલું પંચીયું તદ્દન અશુદ્ધ થાય છે, ઉપરાંત મહા આશાતના થાય છે. સ્નાન કરતાં મુખમાંથી કે - સિકામાંથી કલેમાદિક ન કાઢવું, માત્ર અણછુટકે શરીર ઉપર મેલ દૂર કરે. ન્હાઈને પંચીયાવડે શરીર ન લુંછવું. અવશ્ય ટુવાલ કે અંગુએ રાખે અને તેના વડે શરીર લુહી સાફ કરવું. ૮ શરીર નિર્જળ (સાફ) કર્યા બાદ બનતાં સુધી પચાઉ કામળ ન પહેરવી, કારણ કે ખસ ધાધર વિગેરે ચેપી વ્યાધિયુક્ત શરીરવાળાએ પહેરેલ હોય તે કામળ પહેરવાથી આપણને પણ તે ધિ ચાટવાને ભય છે. . ૯ મુખ્ય વૃત્તિએ તો નીચેથી જ સ્નાન કરી પવિત્ર વશ પહેરીને ઉપર ચડવું યુક્ત છે. પરંતુ કેટલાક કારણથી સને તેમ બનવું અશકય છે, તેથી ઉપર નહાવું પડે છે, પરંતુ તેમાં ઉપર જણાવેલ સૂચનાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ૧૦ શત્રુંજ્યા ની અને સૂર્યકુંડ જળાશય આ તીર્થને અંગે ખાસ પવિત્ર ગણાય છે, અને દરેક યાત્રાળુ બનતાં સુધી તેના જળવડે સ્નાન કરે છે. પરંતુ તેનું જળ એગ્ય રીતે ગાળીને લેવું, પરિમિત જાજ વાપરવું અને તેની પવિત્રતા પૂર્ણ પણ જળવાઈ રહેવા માટે બનતાં સુધી તે જાને ૬ મે કરવું. For Private And Personal Use Only
SR No.533301
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy