SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થશેભર સૂરિ અને બલભદ્ર મુનિ કરવામાં સૂર્ય સમાન અને જીવન પર્યત તપમાં આસક્ત એવા શ્રી યશેભદ્ર સ્વામી તે સ્વર્ગ ગયા છે. પરંતુ એક બળભદ્ર મુનિ અમુક સ્થાને બીરાજે છે, તે મુનિને જો તમે લાવે તે તીર્થ પાછું વળે.” તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને લાવવા માટે એક સાંઢણું મેકલી. તેના પર બેસીને કેટલાક માણસે બળભદ્ર મુનિ વાળ વનમાં ગયા. ત્યાં એક માણસ બકરાં ચારતે હતો તેને તેઓએ પૂછયું કે અહીં બેળભદ્ર મુનિ ક્યાં રહે છે? તે સાંભળીને અજાપાળને વેષ ધારણું કરનાર તે બળભદ્ર મુનિજ બેલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.” એમ કહીને તે માણસે તે સ્થાને પહોંચ્યા પહેલાં બળભદ્ર મુનિ ત્યાં જઈને સાધુ બેઠા. પછી તે ઉંટ પર બેસીને આવેલા શ્રાવકે એ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિશમિ કહી સંભળાવી. તે સાંભળીને બલભદ્રમુનિ બેલ્યા કે-“તમે ત્યાં જાઓ, હું જલદીથી આવું છું. એમ કહીને તેઓને રજા આપી. પછી પિતે આકાશમાર્ગે સં. ઘની ભક્તિ કરવા માટે ત્યાં ગયા અને જીર્ણ દુર્ગ (જુનાગઢ)ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે-“હે રાજા! સંઘની યાત્રામાં અંતરાય ન કર, આ તીર્થ બદ્ધ લે કેનું નથી.” રાજા બે કે-ધર્મ અંગીકાર કરે તેજ દેવને વંદન થવાનું છે, તે શિવાય થવાનું નથી.” તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મલા અક્ષત છાંટવા વિગેરેથી તેને વેદના ઉત્પન્ન કરી. પછી સંધમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતે અગ્નિને કિલ્લે અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખે રહ્યા. અહીં અસહ્ય વ્યાધિની પીડાથી રૂછમાન થયેલા રાજાએ સંઘને સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો.તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્ય,પણ તેની ફરતે અગ્નિને પ્રકાર તથા જળની ખાઈ જોઈને ભય પામે,એટલે તેણે દૂરથી મુનિને વિનતિ પૂર્વક કહ્યું કે-“હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પિતાને અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે-“મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સેટી સંહારની રીતે તરફ ફેરવી એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષનાં શિખરો પૃથ્વી પર પડી ગયાં. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે –“ઉંદર પાત્ર ઉપરની ઢાંકણું પાડી નાં ખવાને સમર્થ હોય છે, પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતે નથી.” તે સાંભળીને બળભદ્ર મુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટિની રીતે ફેરવી, એટલે તે વૃક્ષનાં શિખરે હતાં તેવાં પાછાં જોડાઈ ગયાં. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું. તેથી ભય પામેલે રાજા : ૧-૨ આ સંકણિને જીયા બંને પ્રકારની વિશેષ સમજણું ગુસંગમથી મેળવવી -- ---- For Private And Personal Use Only
SR No.533299
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy