SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ક્યાં ગયા?” એમ ખેદ કરતાં તેનાં નેત્રામાં અશ્રુ ભરાઈ ગયાં. તે જોઈને સૂર્ય તેને કહ્યું કે “હે મુનિ ! શા માટે ખેદ કરે છે? જે આ ત્રણ પત્ર, તેવડે શાસનની ઉન્નતિ વધારજે.” તે લઈને તેણે તે ત્રણ પત્રમાં રહેલી વિદ્યાને પાડમાત્રથી જ સિદ્ધ કરી લીધી. એકદા ગુરૂ બહિમિ (સ્થડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેને માટે કહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આ ણી રાખેલી પાસે પડી હતી, તે વખતે બલભદ્ર મુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલાં બકરા બકરીઓ થઈ ગયાં. તેવામાં ગુરૂ બહિમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓને બૂત્કાર શબ્દ સાંભળીને ગુરૂએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપે. ત્યારે તે મુનિએ કહ્યું કે-“હે ગુરૂ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું? આપ આજ્ઞા આપે.” ગુરૂ બેલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (વાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બેકરાઓ રાખવા. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરા તથા બકરીને મેળાપ થવા દે નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી નથી તેમનું રક્ષણ કરવું.” આ પ્રમાણે તે બકરાંની રક્ષાને ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો. ' પછી બલભદ્ર મુનિ ગુરૂ મહારાજની આજ્ઞાને સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અત્યંત વેષે બકરાના ટેળાને ઔષધી (સુકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હેમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ, સિદ્ધ કરી, એકદા રેવતગિરિનું તીર્થ બદ્ધ લેકે એ દબાવ્યું, અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પિતાના ઉપાસક બૌદ્ધધમી કર્યા. તેથી એવું થયું કે શ્વેતાંબરને તે તીર્થમાં પ્રવેશ પણ બંધ થયે. એકદા ત્યાં શ્વેતાંબરના રાશી સંઘે એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “ધ ધર્મ અંગીકાર કરીને પછી દેવને વંદન કરવા જાઓ.” તે સાંભળીને સર્વે અત્યંત ખેદ પામ્યા. પછી કઈ કન્યાના દેહમાં અંબા દેવીને ઉતારીને તેને વેતાંબરેએ કહ્યું કે –“હે દેવી! સંધના વિશ્વનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.” દેવીએ કહ્યું કે–દ્ધના વંતોએ તીર્થ રૂંધ્યું છે. તેથી બીજી સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનને ઉત ૧ આ રાયખેંગાર હમણ સિદ્ધરાજ જયસિંહના વખતમાં થઈ ગયા છે તેને સમજવા, For Private And Personal Use Only
SR No.533299
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy