SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ હાનિકારક રીવાજે મનુષ્યભરૂપી ક્ષેત્રની અંદર તેની ઉતિરૂપી બીજ દહન થવામાં હાનિકારક રીવાજે મુખ્ય છે. ધર્મની અવનતિ કરનાર, આચારવિચારમાંથી પતન કરનાર અને દેશને તથા કામને અધમ સ્થિતિએ પહોંચાડનાર હાનિકારક રીવાજે છે. વળી તે સાથે આપણા સંસાર અને વ્યવહારને ધૂળ મેળવનાર પણ હાનિકારક રીવાજે છે. કન્યાવિયથી પિતાની કમની, ધર્મની અને દેશની અધમ સ્થિતિ, બાળલગ્નથી શારીરિક સંપત્તિની મંદતા તથા કેળવણીની અધમ સ્થિતિ અને વૃદ્ધવિવાથી પિતાની પુત્રીની અધમ સિનિ થાય છે. તેમજ મરણ પાછળ કરવામાં આવતા ખર્ચ અને એવાં બીજા કેટલાંક ગેરવાજબી ફરજ્યા ખર્ચથી આર્થિક સ્થિતિનો પણ નાશ થાય છે. જ્યાં સુધી આવા દુષ્ટ અને જડ ઘાલી બેઠેલા ઘણા કાળના રીવાજોને હૃદયબળ વાપરી નાશ નહીં કરીએ ત્યાં સુધી આપણે સંસાર સુખી થવા નથી; અને તેમ નહીં થવાથી ધમની ઉન્નતિ પણ થવાની નથી; જેથી તે કુરીવાજોને હવે જલદીથી બનતી મહેનતે દૂર કરવાની જરૂર છે. બંધુઓ! આટલું બોલી કે સાંભળી બેસી રહેવાનું નથી. પરંતુ જે જે ડરાવો અત્રે પસાર થાય તે તે સરલ રીતે અમલમાં મૂકાય તે બાબતને તાત્કાલિક વિચાર કરવાને આપ સાહેબને હું વિનંતિ કરું છું. આપ સર્વે સજજનોને વિદિત હશે કે આપણે દેશના ઉદયને માટે હયાતીમાં આવેલ નેશનલ કેસને જેમ સરકાર પાસે હક માગવાના છે તેવું આપણે નથી. આપણે તે આપણે કોમની અને ભવિષ્યની પ્રજાની ઉન્નતિ કરવાની છે અને તે આપણે પ્રયાસે આપણે જાતે કરવાની છે. પરંતુ આવી મહાન બાબતમાં દાદાભાઈ, રાજશાહ, બેનરજી, દત્ત અને ગોખલે જેવા મહાન બુદ્ધિશાળી અને રાજ્યનીતિનિપુણ પુરૂ કે જે ધારે તે લાખ રૂપીઆ પેદા કરી શકે, તેમ છતાં દેશના હિતમાં પિતાની બુદ્ધિનો ઉપયોગ કરી, સ્વાર્થને ભેગ આપી, પોતાની જીંદગી દેશસેવામાં અર્પણ કરી પિતાના પવિત્ર વર્તનિની છાપ આખા દેશમાં મહાન નર તરીકે પાડી છે, તેમ આપણે કોમના આગેવાનોએ પિતાના તિભેગથી, શ્રીમંતોએ પોતાની લીચી, ગ્રેજયુએટ અને વિદ્વાનોએ પિતાની વિદ્વતાથી અને બુદ્ધિનિપુણે નરોએ પિતાની બુદ્ધિથી ઉપર બતાવેલા દેશસેવા કરનારા નરેનું અનુકરણ કરી, આપણે કોમની, ધર્મની અને ભવિષ્યની પ્રજની ઉન્નતિ થવા માટે આત્મભેગ આપવાની જરૂર છે. ' વ્હાલા બંધુઓ ! હિંદુસ્તાનનાં બીજાં મોટાં શહેરની જન વસ્તીના પ્રમાણમાં અહીંની જન વસ્તી વ્યાપારાદિકમાં કેટલેક અંશે પાછળ છે; જે જોતાં આવું મહાન કાર્યો કરી આખા હિંદના શ્રી સંઘ પ્રત્યે આમંત્રણ કરવાની અને હિંમત કરી I એજ નહીં, પરંતુ અમારા દયાળુ, બાહોશ અને પિતાની વિદ્વતા તથા પોતાના For Private And Personal Use Only
SR No.533275
Book TitleJain Dharm Prakash 1908 Pustak 024 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1908
Total Pages31
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy