________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
શ્રી જેનધર્મ પ્રકાશ.
યણી. ભોયણી જે કે અર્વાચીન તીર્થ છે અને તેની ઉત્પત્તિ સુમારે ૩૦ વર્ષથી થયેલી છે પરંતુ આધષ્ઠાયકની જાગૃતિ હોવાથી તેને મહિમા ઘણો ફેલાયેલ છે. શ્રી મલ્લીનાથજી મહારાજનું દેરાસર ઘણું જ રમણિક બાંધ વામાં આવેલું હોવાથી યાત્રાળુઓને તેના દર્શનથી અતિશય અ.હાદ થાય છે. આ તીર્થ આવવા માટે દેજ અને કટોસણવએ ઘેલડા નામનું નવું સ્ટેશન ખેલવામાં આવ્યું છે. દેત્રોજ ને કટોસણથી ભોયણી દોઢ ગાઉ થતું હતું ત્યારે અહીંથી તે કરતાં આવું થાય છે, મજુર ગાડી વિગેરે મળી શકે છે. આ તીર્થ ધર્મશાળાની સગવડ બહુ સારી છે. ત્યાંના કારખાનાની સંભાળ અમદાવાદવાળા શેઠ જમનાભાઈ ભગુભાઇ તથા શેઠ તેનાભાઇ ચુનીલાલ વિગેરે રાખે છે. તેને હિશાબ નામું ઠામું વિગેરે તપાસતાં વ્યવ
સ્થા સારી છે. હાલમાં વાર્ષિક આવક સુમારે રૂ.૩પ૦૦૦) ની છે અને વાર્ષિક ખર્ચ સુમારે રૂ.૭૦૦૦) ને છે. દેરાસરજીનું કામ ચાલતું જ છે. ઉ. પરાંત જીણું દ્વાર ખાતે અહીંથી સારે ખર્ચ કરવામાં આવે છે શ્રી શંખલપુર, રાંતજ વિગેરે અનેક ગામોના જીર્ણ મંદિરોના જીર્ણોદ્ધારમાં આજ સુધી સુમારે અટલાખ રૂપીઆ ખરચાણા છે અને અહીંના દેરાસરજીમાં દોઢલાખ ઉપરાંત ખર્ચવામાં આવ્યા છે. સિલક દોઢલાખ રૂપીઆ લગભગ છે તેને મોટે ભાગ પ્રોમીસરી લોનમાં રોકવામાં આવેલો છે. સરવૈયાં વિ. ગેરે તૈયાર રાખવામાં આવે છે અને ઉઘરાણી સંબંધી કામ પણ સુસ્ત નથી તેમ લાંબી રકમ ઉઘરાણીમાં રોકાતી પણ નથી. આ કારખાનામાં મુનિમ તરીકે બાબુ ગીરધારીલાલજી ઘણા વર્ષથી કામ કરે છે. તેઓ કર્મગ્રંથના તથા દ્રવ્યાનુયોગને પણ સારા અભ્યાસી છે. આ તીર્થની યાત્રાનો લાભ દર વર્ષ લેવા ઈચછા થયા કરે તેવું છે.
ભોયણી તીર્થની યાત્રાનો લાભ લીધા બાદ શ્રી શંખેશ્વરજીના અતી પ્રાચિન તીર્થની યાત્રાને લાભ લેવાની ઈચ્છા થતાં શ્રી વીરમગામથી બેલ ગાડીમાં તે તરફ જવું થયું.
શંખેશ્વરજી. આ ઘણું પ્રાચીન તીર્થ છે. અહીં આવવા માટે રાંધણપુર. પાટણ. ભોયણી, વિરમગામ અને પાટડથી જુદા જુદા રસ્તા છે. બથી લગભગ ૨૦ ગાઉ થાય છે. પાટડી ૧૫ ગાઉ થાય છે. વણીથી નારને મા
For Private And Personal Use Only