________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રા ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ.
ર૭
સંધના આગેવાન ગૃહસ્થ શ્રી પાલીતાણે પન્યાસજી શ્રીગંભીરવિજયજી પાસે ગયા, ભાવનગર આવવા સંબંધી વિનંતી કરી અને પ્રતિષ્ઠાના મુહુર્ત સંબંધી પૃચ્છા કરી. પન્યાસજીએ સંધની લાગણી ખરેખરી ચેકસ જણવાથી આવવાની હા પાડી અને વૈશાખ શુદિ ૪ શુક્રવારનું મુહુર્ત આપ્યું.
અનુક્રમે ફાગણ વદી ૭ મે પન્યાસજી શ્રી ગંભીરવિજયજી ૫રિવાર સહિત ભાવનગર પધાર્યા, સંઘે સામૈયું કર્યું, સને આનંદ થયે અને પ્રતિષ્ટા થવા સંબંધી વાતો ચાલવા લાગી. પન્યાસજીની પ્રેરણાથી શ્રી સંઘે એકઠા થઈ વૈશાખ શુદિ ૪ નું મુહુર્તે નક્કી ઠરાવ્યું. અને તરતમાં જ પ્રતિષ્ઠા સંબંધી ખર્ચ માટે સુમારે ચાર હજારના પ્રમાણપર ટીપ ભરવાનું ઠરાવ્યું. વદ ૧૧ શે ટીપની શરૂઆત થઈ અને નીચે લખેલા ગૃહસ્થોએ પ્રથમ સારી રકમ ભરી આપી. ૫૧૧) વેરા. જસરાજ સુરચંદ ૫૦૧) શા આણંદજી પુરૂષોત્તમ ૫૦૧) રા. ઝવેરચંદ સુરચંદ ૫૦૧) વાગડીઆ ગુલાબચંદ અમરજી ૫૦૧) શેઠ. રતનજી વીરજી
ત્યાર બાદ ટીપનું કામ આગળ ચાલ્યું, તેમાં દરેક ગૃહસ્થ પિતાની શકિત અનુસાર યોગ્ય રકમ ભરી આપી જેથી બીજો સુમારે બે હજાર રૂપીઆ ભરાયા.
હવે પ્રતિષ્ઠા સંબંધી કામકાજની શરૂઆત થઈ. દાદાસાહેબના બગીચામાં મુખ્ય ડેલીમાં પ્રવેશ કરતાં જમણી બાજુ બગીચે છે અને ડાબી બાજુ ધર્મશાળા છે. મધ્યમાં સે ફુટનો ચેસ ચેક છે. જે કે ચારે બા જુની દીવાલથી શોભીત છે. ડેલીની સામે જ દેરાસરજીનું દ્વાર છે. આ વિશાળ ચોકમાં એક સુશોભિત મંડપ કરવાનો નિર્ણય થયો અને તે મંડપ ના મધ્યમાં મેરૂ પર્વતની સુવર્ણમય, ચારે વન, ચુળીકા તથા તેની અંદરના જિન મંદિરને દેખાવ આપનારી રચના કરવી ઠરી.
આ મંડપનું પ્રથમ ચતર શુદિ ૪થે માંડવા મુહુર્ત કરાવવામાં આવ્યું અને પછી મંડપ બાંધવાનું કામ શરૂ થયું. મંડપને માટે ઘણી વિશાળ જગ્યા રોકવામાં આવી. મંડપ ઉત્તર દક્ષિણ લાંબે ફુટ-૭૫ અને પહોળે ફુટ-૫૪ નાખવામાં આવ્યો. તેમાં બે જુદા જુદા વિભાગ કરવામાં આવ્યા. આગળને મંડપ પૂજા ભણાવવા માટે અને પાછળને મંડ૫ મેરૂ પર્વતની રચના વિગેરે કરવા માટે ઠરાવ્યું. અને પાછળના ભંડમાં સ્ત્રી પુરૂષો માટે જુદી જુદી પ્રદક્ષિણા કરી શકાય તેવી ગોઠવણ કરવામાં આવી
For Private And Personal Use Only