________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા,
માયાश्री मल्लीनाथ चरित्र.
( સાંધણ પાને ૬૪ થી. ) આ જંબુદિપના ભરતક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રને વિષે મેરૂ પર્વતની પશ્ચિમ દિશાએ નિષધ પર્વતની ઉત્તરે અને સીતાદાના દક્ષિણ તટે, સુખાવહ નામના વખારગિરિની પશ્ચિમ દિશાએ તેમજ પશ્ચિમ દિશાના લવણ સમુદ્રની પૂર્વ સલિલાવતિ નામે વિજ્ય છે. તે વિજયમાં વીતશેકા નામે અતિ સુશોભિત બાર જન લાંબી અને નવજન પહોળી નગરી છે. તે નગરીમાં બળ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ધારણ પ્રમુખ એક હજાર રાણીઓ હતી. એકદા ધારણી રાણીએ રાત્રીને વિષે સુખ સયામાં સુતાથકા રહનું સ્વન દીઠું. દેખીને જાગી. પ્રાણપતિને વાત કરી. અનુક્રમે પુત્ર પ્રસવ થયો તેનું મહાબળ નામ રાખ્યું. 5 વયે વિદ્યાભ્યાસ કરવા મુ. સમસ્ત વિધા ભણી પ્રવીણ થશે. અનુક્રમે યૌવન પામવાથી કમળશ્રી વગેરે પાંચશે રાજ્યકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. તે મહાબળ કમાર પાંચશે સ્ત્રીઓની સાથે અનેક પ્રકારના સાંસારીક જોગ ભોગવે છે. એવા સમયમાં એકદા પાંચશે મુનીના પરીવારે પરવર્યા, ગ્રામાનુગ્રામે વિહાર કરતા, સુખ સમાધિએ આભ સાધન કરતા શ્રી ધર્મઘોષ નામે સ્થવીર મહારાજ તે વીતશોકા નગરીના કુંભ નામના ઉધાનમાં સમોસર્યા.
વનપાળકે વધામણી દીધી એટલે બળરાજા મોટા આડંબર સાથે વાંદવા આવ્યો. દેશના સાંભળી, પ્રતિબોધ પામી, મહાબળ કુમારને રાજ્ય સ્થાપન કરી, સ્વહસ્તે કેશ લુંચન કરીને તેમણે દિક્ષા અંગીકાર કરી. બેળરાજર્ષિ અગ્યાર અંગેની જાણ થયા. ઘણા વર્ષ પર્યત કામણ પર્યાય પાળીને પ્રાંતે એક માસની સંખણી કરી ઘાતી ઘનઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષ સુખ પ્રત્યે પામ્યા.
હવે મહાબળ કુમાર રાજ્યનું પ્રતિપાલન કરે છે. એકદા તેમની પદેરાણી કમળથીને સિંહસ્થ ન સૂચિત પુત્ર થયો તેનું બલિભદ્રનામ સ્થાપન કર્યું. તે મહાબળ રાજને અચળ ૧ ધરણ ૨ પૂરણ ૩ વસુમિત્ર ૪ વિટામણ ૫ અને અમિચંદ્ર ૬ નામે છે મિત્રો છે, પરંતુ જન્મથીજ સાથે
For Private And Personal Use Only