________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરના ઉપક્રમે તા. ૧૦-૧-૭૭ના રોજ મુંબઈના ગોડીજી ઉપાશ્રયમાં “દ્વાદશા નયથક્ર” ગ્રંથના ભાગ ૨ ના
ઉદઘાટન પ્રસંગનું ગીત
સંશાધન ને તૈયારી કરતાં વર્ષો વિતી જાય, એવા અપૂર્વ મહાન ગ્રંથનું આજ પ્રકાશન થાય. ‘દ્વાદશારે નયચકમ' એવું ગ્રંથનું છે શુભ નામ, તર્ક અને પ્રમાણુ શાસ્ત્રની સામગ્રી છે તમામ; ટીકા ટિપ્પણ શુદ્ધિથી સમજાવ્યું શાસ્ત્ર ન્યાય. એવા પ્રથમ ભાગ પ્રકાશિત પામ્ય સૌરાષ્ટ્રના ભાવનગરમાં, બીજો આજ પ્રકાશન પામે મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં નર નારી ને જ્ઞાની સૌના હૈયા અતિ હરખાય.
એવા દૂર દૂર દેશ વિદેશથી જેની માહિતીઓ મંગાવી, સૂફમ ને શાસ્ત્રીય વાતે સઘળી પાને પાને સજાવી; સૌ અભ્યાસીને અંતરમાં જ્ઞાનનાં તેજ પથરાય.
એવા વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજી છે ગ્રંથના ઘડનારા, સાહિત્ય કલારત્ન શ્રી યશોવિજયજી ઉદ્દઘાટન કરનારા; આચાર્ય શ્રી ધર્મસૂરીની નિશ્રામાં પ્રકાશન વિધિ થાય.
એવા શ્રી જૈન આત્માનંદ સભાએ મંગળ કાર્ય આ કીધું, અમૂલ્ય સાહિત્યનું સર્જન કરીને શાસનને ચરણે દીધું; મંગળકારી અવસર આજે “બંસી” ગુણગાન ગાય.
એવા –શ્રી બંસીલાલ શાહ ખંભાતવાળા
[ રચયિતાઃ ઉપાસના સ્તવન સંગ્રહ) ૧૫, ‘નવનિધાન દોલતનગર રોડ નં. ૯ બોરીવલી (પૂર્વ) મુંબઈ ૪૦૦.૦ ૬૬
૧૧૪ :
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only