SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાતિ–બિન્દુ ભટ્ટ દ (લેખક શ્રી મેહનલાલ દીપચંદ ચેકસી) ચાર પિતા-પુત્ર - “સ્વાતિ ” એ સત્યાવીશ નક્ષત્રોમાં એવું ચમત્કારી ગણાય છે કે એ વેળા જે વર્ષો થાય છે એ અતિ ફળદાયી નિવડે છે અને એ વેળા જળના જે બિન્દુઓ કાળી માછલીના પેટમાં પડે છે એ સાચા મોતીરૂપે તૈયાર થાય છે. કુદરતની ઉક્ત લીલાને બંધ બેસે એવું એક દષ્ટાંત ભગવંત શ્રી મહાવીર દેવના સમયે બનેલું અહીં રજૂ થાય છે. વૈભારગિરિ એ રાજગૃહી જેવી મહાન નગરીની સમીપમાં આવેલ પાંચ ટેકરીઓમાંની એક. એની વનરાજી અને જુદા જુદા એકાંત પ્રદેશે જેમ સંત-મહંતને ધ્યાન અને આત્મચિંતવન માટે ઉપયોગી, તેમ એની અંધારી કંદરાઓ-અંધકારભર્યા ભેંયરાઓ એ ચોર-લૂંટારાના ગુપ્ત નિવાસ માટે કામમાં આવતાં સ્થાનો ટૂંકમાં કહીએ તે પ્રકાશ અને અંધકારરૂપ વિરુદ્ધ સ્વભાવી યુગલ માટેનું સંયુક્ત સ્થળ તે વૈભારપર્વત. આશ્ચર્ય પણ શા માટે? વિરુદ્ધ પ્રકૃતિધારી જેડલા આજકાલના નથી પણ અનાદિ કાળના અસ્તિત્વવાળા છે. પ્રકાશ-અંધકાર, જ્ઞાન-અજ્ઞાન, સત-અસત્ આદિ કંઇક. એકના અભાવથી બીજાના અસ્તિત્વની પ્રતિતી મળે છે; એટલે ઉભયના સહચારથી અજાયબી ધરવાનું કારણ નથી. એવી એક કંદરામાં, જયાં સહસ્રરશ્મિના કિરણોને પ્રવેશ તે નહીં જે લેખાય પણ તેજવી ને પાણીદાર હીરા, મણિ અને રનના ઢગથી ઝળઝળાયમાન વાતાવરણ સર્જાયું છે, અંધકારની અસર જણાતી પણ નથી, એવા એક ખંડના મધ્યભાગે સુંવાળી શયામાં એક પુરુષ વ્યક્તિ, રોગથી પીડાઈ, સાવ નંખાઈ ગયેલી દશામાં પડેલી દષ્ટિગોચર થાય છે. નજિકમાં દવાના પડીકા, અને પાણી તેમજ અન્ય પ્રવાહી પદાર્થો પહેલાં છે. બાજુમાં જેના અંગે અંગમાંથી યોવન થનગનાટ કરી રહ્યું છે એ એક તણ, યાલામાં કંઇક એસિડ ઓગાળી, આજારીને પી જવાની પ્રાર્થના કરતો નજરે પડે છે. એના મુખમાંથી બહાર પડતાં શબ્દો સંભળાય છે કે-પિતાજી! હથો, આ દવા. વૈદ્યરાજે કહ્યું છે કે એનાથી જરૂર ફાયદો થશે. ફાયદોહી, હી, હી! મારા ગાત્રો જ આગાહી કરી રહ્યાં છે કે ઉઠાંગીરીની ઘડીઓ ગણાઈ રહી છે! મગધ જેવા મહાન દેશમાં મારી ચયંકળાથી મશહૂર બનેલે હું આ રેગથી હતાશ થયો છું એમ ન સમજીશ. દીકરા ! બધા રોગના ઉપાય છે પણ મરણરૂપ મહારગ ઉપાય નથી ! એક કવિનું વચન મારા હૃદયમાં રમી રહ્યું છે અને તે એ કે– થતાં દરબારને ડંકે, રહે નવ ગર્વ બંકાને; શૂરાને પણ સમય આવે, સમાધમાં સમાયાને, એટલે મને મરણ આવે તેની ભીતિ નથી. એને મૂઠીમાં રાખીને તે આ સંપત્તિના ઢગ ખડક્યા છે ! શ્રેણિક ભૂપ જેવા પ્રતાપી રાજવીના રાજ્યમાં મેં જેવી તેવી ચેરીઓ જન ૨૮ ) ૦ For Private And Personal Use Only
SR No.531775
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy