________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી રન કમ પ્રકાશ
[ માગશીર્ષ
સં. ૨૦૦૪ રૂ. ૪ર (ગ્રાહક બંધુઓ વિગેરે ) સં. ૨૦૦૫ રૂા. ૧૫૧ ( સં. ૨૦૦૬ રા. ૧૯૧)
અમુક અમુક પ્રસંગને અનુલક્ષીને “પ્રકાશ”ના સ્પેશ્યલ અંકે પ્રગટ કરવામાં આવ્યા હતા. સ્વ. શ્રી કુંવરજીભાઇનો મરકિ, સ્વ. શ્રી વિજયનેમિસુરિજીને અખંજલિ અંક, શ્રી મતીચંદભાઈ સન્માન સમારંભ અંક, શ્રી કુંવરજીભાઈ બસ્ટ-અનાવરણ વિધિ અંક. વિગેરે વિગેરે.
પ્રકાશ”ની અમુક નકલો ૫. સાધુ-સાધ્વીજીઓને તેમજ કેટલીક સંસ્થાઓને ભેટ તરીકે મોકલવામાં આવે છે.
શ્રાવણ શુદિ ત્રીજ, વર્ષગાંઠ ખાતું. યુદ્ધકાળ દરમિયાન અને પછી પણ સામુદાયિક જમણ પર પ્રતિબંધ હેવાથી સભાની વર્ષગાંઠને દિવસે સભાના મકાનમાં પ્રભુજી પધરાવી સવારના પૂજા ભણાવવામાં આવે છે અને બપોરના ટી-પાર્ટી કરવામાં આવે છે.
કાર્તિક શુદિ છઠ્ઠ આ દિવસે પણ સવારના જ્ઞાન સમીપે પંચજ્ઞાનની પૂજા ભણાવવામાં આવે છે અને બરિના હાલના કાયદા અનુસાર ટી-પાર્ટી કરવામાં આવે છે.
લાઇબ્રેરી સભા હસ્તક નમૂનેદાર લાઈબ્રેરી છે. ધાર્મિક પુસ્તકે વિશાળ સંખ્યામાં છે, જેને લાભ વિશેષ સંખ્યામાં લેવાય છે. વર્ષોવર્ષ નવા નવા પુસ્તકે વસાવવામાં આવે છે. લાઈબ્રેરી ખાતે ૧૧૧૫૬૮ ના પુસ્તકો છે.
શ્રી જીવદયા આ ખાતું સભા સંભાળે છે. આ ખાતે ફંડ પણ ઠીક છે. દરવર્ષે બાજુ રકમના દિનિયા પળાવવામાં આવતાં અને પર્યુષણુના આઠે દિવસ માછલાની જાળ છોડાવવામાં આવતી અને તેને માટે વાર્ષિક રૂ. ૮૦૦ થી ૯૦૦) ને ખર્ચ કરવામાં આવતું, પરંતુ નિર્વાસિત લેકાના આગમન પછી આ વ્યવસ્થા બરાબર રીતે ન સચવાઈ શકાવાથી બે વર્ષથી આ કાય બંધ કરવામાં આવ્યું છે. સભા હસ્તક આ ખાતાના રૂા. ૮૮૫પાડ્યુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સરકારના ત્રણ ટકાને વ્યાજના ૩ ૩૪૦૦ (૨૦૦૦+૧૪•• ) ના બેન્ડ છે.
પ્રકીર્ણ જનતામાં જ્ઞાનની ભૂખ જાગે અને સુસંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સં. ૨૦૦૨ માં સભા તરફથી “ભાષણ-શ્રેણિ” ગોઠવવામાં આવેલ પણ તેને બહુ આવકાર ન મળવાથી ત્રણ ચાર પ્રવચને બાદ તે પેજના પડતી મૂકવામાં આવી હતી.
For Private And Personal Use Only