SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમાં સામાન્ય માનવીની તે। મતિ જ મુંઝાઇ જાય. તેથી સત્ય શુ' છે એ પ્રશ્નના સ્થાને કાયમના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે સત્ય ક્યાં છે અને સત્ય સમીપે જવું કેવી રીતે ? જૈન તત્ત્વવિદ્યાએ આ પ્રશ્ન પરત્વે જે નિરાકરણ કર્યુ છે તે તેમની અહિંસાની ભાવનાને અનુરૂપ છે. અહિંસાના સિદ્ધાન્ત જીવન તરફ્ માનની દૃષ્ટિ કેળવતા શીખવે છે. એટલું જ નહિ પણ અન્યના ભિન્ન ભિન્ન અભિપ્રાય પ્રતિ સહિષ્ણુતાભરી સમજ કેળવવાના ખાધ કરે છે, સત્ય, અસત્ય, સત્યાસત્ય અને સય નાડુ તેમ જ અસત્ય નહિ એમ વિધાતેનું વર્ગીકરણ ચાર વર્ષમાં જૈત તર્વિદેએ કરેલું છે. આ પૃથક્કરણની પદ્ધતિના પરિણામે જૈન દર્શનના અનેકાન્તતા સિદ્ધાન્ત ફલિત થાય છે. અનેકાન્તના સિદ્ધાન્તથી પ્રત્યેક પરિસ્થિતિને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુથી જો વિચારી શકાય છે. અને અનેક અસત્યાને પાસે પાસે લાવીને તેમાંથી એક સમગ્ર પૂર્ણ સત્ય પ્રાપ્ત કરી શકાય છે. તાત્ત્વિક સત્ય જટીલ છે. તેનાં રૂપે! અનત પરિવર્તનનાં પ્રવાડીમાં તણાતાં જાય છે. આ તત્ત્વતે સમજવાની મનુષ્યની શક્તિ મર્યાદિત છે. જૈન તત્ત્વજ્ઞાતીના આ ખ્યાલે જૈન જ્ઞાનમીમાંસાને એક વિશેષ ઘાટ આપ્યો. આનુ પરિણામ તે નયવાદ, નય એટલે જ્ઞાનનું દૃષ્ટિબિન્દુ, જ્ઞાતાનો અભિપ્રાય. શુદ્ધીંગ (31hting) અને અન્ય વિદ્રાએ અમાગધી આગમાતા સામયિક સ્તરીકરણ । અભ્યાસ આરશે. જો કે આ અભ્યાસ પ્રતિ ભારતમાં એછાવત્તા અંશે દુર્લક્ષ સેવામાં આવ્યુ છે. અને એક એમ અભિપ્રાય વ્યક્ત થયા છે કે અર્ધમાગધી આગમા એક એકમ તરીકે જ પ્રગટ્યાં છે. નયવાદનાં બીજ અનાગધી આગમગ્રંથેામાંથી શેાધવાને પ્રયાસ થયા છે. આ પ્રયત્નમાં નયવાદ અને સ્યાદ્વાદની વિગતપૂર્ણ ચર્ચા જોવામાં આવે છે. ભિન્ન ભિન્ન વિપતિપત્તિમાતા પ્રશ્ન જ્યાં જ્યાં ઉપસ્થિત થાય છે ત્યાં ત્યાં મહાવીર અને તેમના શિષ્યવૃન્દ એ પ્રશ્નને કેવી રીતે હલ કરતા તે જોવા મળે છે. આવી વિપ્રતિપ્રતિએ અનેક છે. સત્-અસત, અસ્તિ-નાસ્તિ, વિધિ અને નિષેધ, એક અને અનેક વગેરે. જૈન દર્શનતે તેના પાયાના તત્ત્વવિદ્યાના આ પ્રશ્નોને સામને ફરવાને હતા. આ પ્રશ્નો માટે આપણી પાસે દ્રશ્યાર્થિ ક અને પથિક, નિશ્રય અને વ્યવહાર વગેરે નયેા હતાં. કેટલાક સ્થલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાતે બિન્દુ તરીકે રાખવામાં આવતા. આ પૃથક્કરણ પદ્ધતિ ઉપયેગ ભિન્ન મિત્ર દિશામાં અને ભિન્ન ભિન્ન હેતુ સ્કૅ કરવામાં આવતા. આ પ્રાચીન પ્રણાલીમાં મળતી હકીકતેાને ઉમાસ્વાતિના ભૂત્રમાં એકત્ર કરવામાં આવી છે. ઉત્તરાધ્યયનના માખ ભગંગ પ્રકરણ અને કુન્દકુન્દના પ્રવચનસાર અને પંચાસ્તિકાયના અભ્યાસથી ઉમાસ્વાતિની પૂર્વવર્તી પરિસ્થિતિના ખ્યાલ આવે છે. : ', ઉમાસ્વાતિનુ એક મહત્ત્વનું સૂત્ર છે, “ પ્રમાણનથૈર્ અધિગમઃ ” (Premana~nyair adhigamah ) તત્ત્વને સમજવાની આ એક દૃષ્ટિ છે. ઉમાસ્વાતિ સાત નય ગણાવે છે. તત્ત્વને નય દ્વારા સમજવાની દૃષ્ટિ મૌલિકતા અને વ્યવહારિક ઉપયેાગિતાનુ ક્ષેત્ર વિશાલ બનાવે છે. સિદ્ધસેન વાસ્તવિકમાં તે પ્રમુખપણે તત્ત્વનણની છે. જૈન તાર્કિકામાં તે સથી વધુ હિંમતવાન છે. બૌદ્ધિક બાબતેાની પસ ંદગી ખાતર તે પ્રણાલીગત બાબતેને પાછળ રાખતા ખચકાતા નથી. કેવલીમાં જ્ઞાન અને નના તાદાત્મ્યના નિરુપણમાં, પ્રાકૃતને બદલે સંસ્કૃતને સ્વીકારવામાં અને શાસ્ત્રગ્રંથાને સંસ્કૃતમાં રચવાના તેના પ્રયત્નમાં આ હકીકત સ્પષ્ટ થાય છે. સિદ્ધસેનની આ અન્તર્યંત મહત્ત્વની ૧૫૮ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy