SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નુતન વર્ષનું મંગળમય વિધાન. બની શકયું છે? ગત વર્ષમાં વ્યાપક જ્ઞાનસમષ્ટિમાં વ્યક્તિરૂપી જૈન દર્શનના ઉચ્ચ તોને લક્ષ્યમાં રાખી અનેકાંત દષ્ટિની ઉચ્ચ રહસ્ય સમાજને સમર્યા છે? વાસનાઓથી બેલહીન બનેલાં અને મધુબિંદુની માફક ઓતપ્રોત થયેલા સંસારી જીને સત્કર્મનું કે દુષ્કર્મનું ભાન કરાવ્યું છે ! તકવાદી જ્ઞાન કરતાં ચારિત્રની ભૂમિકા ઉચ્ચતર છે તે દર્શાવવા સાથે શનલ્સ ૪ વિપતિ-એ સૂત્રનું રહસ્ય યથાશકિત સમજાવ્યું છે? સંસારચક્રમાં જન્મ અને મૃત્યુ અનિવાર્ય અને સહજ છતાં આત્માના અનાદિઅનંતપણા તરફ લક્ષ્ય રાખી માનવવાચકેની આત્મભૂમિકાને તૈયાર કરી સ્વાલંબનપૂર્વક પ્રગતિમાન થવા પ્રેરણ કરી છે? મનેયાગદ્વાર વિચાર કરતાં ફલિત થાય છે કે અવશ્ય સુંદર પરિણામ આવ્યું છે; જગતમાં પ્રત્યેક રધૂળ વસ્તુ સ્વનિમિત્તવડે આત્માને જગાડે છે; સૂર્યના પ્રહણથી જેમ કીર્તિધર રાજા અને વૃદ્ધ થઈ ગયેલા વૃષભથી કરકંડુ રાજાની આત્મજાગૃતિ થઈ હતી, તદનુસાર જો આત્મા ગુણગ્રાહી હોય તે પ્રભુમતિ અને શાઓ પુષ્ઠલંબન હોવાથી આત્મજાગૃતિ અર્પે તેમાં આશ્ચર્ય નથી. લેખો એ શાસ્ત્રનાં નિઝરણાંઓ હોવાથી આત્માને અંતરાવલોકન માટે થાય એ સ્વતઃ સિદ્ધ છે; જેથી પ્રસ્તુત પત્રકારો બાલ જગતમાં અર્થ અને કામમાં મશગૂલ મનુષ્યોને ધર્મ પુષાથ માં જોડવારૂપે અને અતિર જગતમાં એ પુરુષાર્થના નિચોડરૂપ કષાયને અભાવ, વૈરાગ્યવાસનાની જાગૃતિ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપ આત્મગુણોમાં રમતા કરાવવા રૂપે, જે કાંઈ સ્વીકૃત કાર્યના પરિણામરૂપે યથાશક્તિ બની શકયું છે તે માટે આ પત્ર પ્રશસ્ત ગૌરવ અનુભવે છે. સંજ્ઞા-પ્રેરણા. પ્રસ્તુત નતન વર્ષની “ આત્માનંદ પ્રકાશ” ની સંજ્ઞા ૫૧ ની છે, પાંચ જ્ઞાનના સર્વે મળીને ૫૧ ભેદ થાય છે, જેથી પ્રસ્તુત સંશા જ્ઞાનારાધનનું સૂચન કરે છે. ૫ + ૧ = પાંચ તેને એક આત્મતત્વ સાથે સમનવય કરો અથવા પકારને આત્મા સાથે સમન્વય સાધી, આત્માએ, આત્માને, આત્માવડે, આત્મા માટે, આત્મામાંથી, આત્મામાં અનંત આનંદ પ્રકટાવવાના પુરુષાર્થ કરવાનું સૂચન છે. ૫- ૧= પાંચ પ્રમાદ તથા પાંચ ઇન્દ્રિયના વિષયોને આત્મામાંથી અભાવ કરે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી-દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મોની આરાધના કરવાની પ્રેરણા છે. તદુપરાંત ઉપર દર્શાવેલે નામાનુજાની શ્લેક સ્વ. આ૦ મ. શ્રી વિજયાનંદસૂરિ તથા જૈનદર્શનની ૫૧ અર્થવાળી અતિરૂપે સંખ્યા દર્શાવે છે. જાણો તરતો હોઇ ના આઠ લાખ અર્થો થાય છે અને તે અષ્ટલક્ષી ગ્રંથ તરીકે પ્રકાશિત થયેલો છે, તે પ્રસ્તુત લોકના ૫૧ અર્થ થાય તેમાં આશ્ચર્ય નથી. આ સંતશ્રતની વિચારણા જો આત્મજાગૃતિપૂર્વક હેાય તે એ સંસામાંથી આત્મપ્રેરણું મેળવી શકે છે અને દશ દષ્ટાંતથી દુર્લભ ગણાતા માનવજન્મને સાર્થક કરી શકાય છે. સિંહાવલેકન. ગત વર્ષમાં જેનઅશ્વિમાં પ્રાચીન જૈન સાહિત્યના પ્રમાણભૂત સંશોધક શ્રી જિનવિજયજીની જર્મન પ્રાયવિદ્યા સભા તરફથી જર્મનીમાં તેમની જૈન સાહિત્ય, ઇતિહાસ અને પુરાતત્વની સેવાઓને અંગે માનદસભ્ય તરીકે નીમણુક થઈ છે. પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીનો ૮૭ મો જન્મોત્સવ ત્રણ દિવસ ૧, હારમોનીયમના સાત સૂરોમાંથી જેમ અસંખ્ય રાગે પ્રકટે છે. જૈનદાનના કથનાનુસાર જેમ એક સૂત્રના અનંત અર્થો થાય છે. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy