SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી આત્માનંદ પ્રકાશ શિષ્ય અબદેવસૂરિએ સ. ૧૭૭૧માં (?) રચેલા સમરસ હરાસમાં આ ઉદ્ધારનું ઘણા વિસ્તારથી વર્ણન છે. સમરસિંહરાસમાં જણાવ્યુ છે કે—“ પાટણમાં રહેતા દેસલશાહને સહજ, સાણ અને સમરસિંહ એમ ત્રણ પુત્રા હતા. તેમા સમરસિંહ રત્નપરીક્ષામાં નિષ્ણાત હતા અને તેણે રાજ્યકારભારી વર્ગમાં ઘણું માન પ્રાપ્ત કર્યું હતુ. વચલા પુત્ર સાહુણે ખંભાત બ ંદરમાં નિવાસ કરીને પૂર્વજોની કીર્તિ પ્રાપ્ત કરી હતી. સૈાથી માટા પુત્ર સહજપાલે દક્ષિણદેશના દેવગિરિમાં જઇને નિવાસ કર્યાં હતા, અને ત્યાં ચેાવીશ જિનાલય ખંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂલનાયકરૂપે સ્થાપના કરી હતી, ” (ભાષા, ૨). ܕܐ નાભિનદનાદ્વાર પ્રખધમાં ( પ્રસ્તાવ, ૨ ) જણાવ્યું છે કે-સહજે રાજા રામદેવને ગુણાથી એવા વશ કરી લીધા હતા કે ખીજાની વાત પણ ન કરે. અને કપૂરથી સુવાસિત તાંબૂલ આપતા હાવાથી મગલાડકાએ તેનુ' ‘ કપૂરધારાપ્રવાહ ’ એવું બિરૂદ આપ્યું હતું. સહજ શેઠે રામદેવરાજાને ભેટાંઆથી પ્રસન્ન કરીને જિનાલય માટે ભૂમિ મેળવી હતી અને થાડા જ સમયમાં જિનાલય બંધાવીને તૈયાર કરાવ્યું હતું. તેમાં પ્રતિષ્ઠા કરવા માટે સહજના પિતા દેશલશાહુ ચાર્વીશ જિનબિંખ, બીજા બે મોટાં જિનમિષ તથા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તૈયાર કરાવીને સ્કધવાહકના ખભા ઉપર સ્થાપી ગુરૂશ્રી સિદ્ધસૂરિજીની સાથે પાટણથી દેવગિર તરફ ચાલ્યા હતા. ગુરુના તથા પ્રતિમાજીના ઘણા મહાત્સવપૂર્વક સહજાશેઠે દેવગિરમાં પ્રવેશ કરાવ્યેા હતા. પછી શ્રી સિદ્ધસૂરિજીના હાથે જ પ્રતિષ્ઠા કરાવી હતી. જિનપ્રાસાદ આગળ વિશાલ મંડપ હતા અને તેમાં ૨૪ દેરીઓ હતી. જિનાલય ફરતા મનેાહર હવેલીહિત કિલ્લો કરાવ્યા હતા. પ્રતિષ્ઠા થઇ રહ્યા પછી દેસલશાહ ગુરુજી સાથે પાટણ પાછા ફર્યાં હતા. For Private And Personal Use Only પ્રશ્નધમાં એ પણ જણાવ્યુ` છે કે–સમસિંહ સંઘ લઈને શત્રુંજયતીર્માંદ્ધાર માટે પાલિતાણા આવ્યા હતા, અને ગિરિરાજ ઉપર ચડ્યા ન હતા, તેટલામાં જ દેવિગિરથી સહજા શેઠ અને ખંભાતથી સાહુણ શેઠ પણ સંઘ લઈને પાલિતાણા આવી પહોંચ્યા હતા. સમરાશા એક યેાજન સામા જઈને બંને ડિલ બધુને ભેટી પડ્યા હતા. શ્રી જિનપ્રભસૂરિ અને દેવગિરિ, લઘુ ખરતરગચ્છપ્રવર્તક શ્રી જિનસિંહસૂરિના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિજી એક અસાધારણ પ્રતિભાવાન્ તથા મ ંત્ર-ત ંત્ર-ચમત્કારાદિના જાણુકાર હતા. તેમનેા જીવનસમય વિક્રમની ચૌદમી સદી છે. તેમણે ભારતવર્ષના ભિન્ન ભિન્ન સ્થળામાં વિહાર કરીને જૈન તીથ સ્થાનાનુ યથાશ્રુત અને ચથાષ્ટ વર્ણન કરતા ૫૮ કલ્પાની રચના કરી છે કે જે વિવિધતીર્થંકના નામથી પ્રસિદ્ધ છે. આ કલ્પામાં ઘણી ઘણી ઐતિહાસિક તેમજ ભોગેલિક સામગ્રી ભરેલી છે. તે પૈકીના અપાપાબૃહત્કેપ તેમણે સ. ૧૩૮૭ ના ભાદરવા વદ ૧૨ ને દિવસે દેવગિરિમાં રહીને રચે છે. દિલ્હીપતિ મુસ્લિમ શહેનશાહ મહમ્મદ તઘલક ઉપર તેમનેા ઘણું પ્રભાવ હતા.
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy