SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિચારશ્રેણી www.kobatirth.org સજા પરમાત્માના અપરાધીની સજા ઘડવાને તમને હક નથી, છતાં તમે સજા ઘડવાનું સાહસ કરશે! તેા તમારા સંકલ્પ પ્રમાણે તમારે સજા ભાગવવી પડશે. પ્રભુના અપરાધીની પ્રભુના નિયમ પ્રમાણે તેને થશે જ, માટે તમારે તેની ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને તમારા અપરાધીની સજા પણ તમારે ઘડવી નહી, નહિ તે તે પણ તમારે ભાગવવી પડશે; કારણ કે તમારા વાંક વગર કનડે તે પરમાત્માને ગુન્હેગાર છે અને તમારો વાંક હાય ને કનડે તે કેવળ તમારી ગુન્હેગાર છે. આ અન્ને પ્રકા રના ગુન્હેગારાની સજા ઘડવાને માટે પ્રભુએ તમને આજ્ઞા આપી નથી, માટે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે! નહી. કાદવથી ખરડાયેલું વસ્ત્ર કાદવથી સામ્ થાય નહી, પણ પાણીથી સ્વચ્છ બનીને શ્વેત થાય છે, તેવી રીતે દાષાથી દાષા દૂર થાય નહી પણ ગુણુાથી દાષા દૂર થાય છે. અર્થાત્ ઇર્ષ્યા, દ્વેષ-અસહિષ્ણુતા અદિ દોષાથી કલંકિત માનવી ખીજામાં રહેલા દાષા દૂર કરીને ગુણી અનાવી શકે નહી; પણ સજ્જનતા, હિતેષિતા આદિ સદ્ગુણેાથી વાસિત માનવી જ બીજાને દોષમુક્ત અનાવીને સદ્ગુણેાના આરેપ કરી શકે છે. ખીજાના અવગુણુ કે અહિતકરસૂચક પ્રવૃત્તિ જોઈને અણુગમા કે તિરસ્કાર થવા તે ક્રોષ છે અને દયા તથા હેતથી હિતબુદ્ધિ થવી તે ગુણુ છે. જનતામાં બીજાના દોષાનુ વર્ણન કરી સંતાષ માનનાર દુર્જન છે અને ગુણુ ગાઇને ખુશી થનાર સજ્જન છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : આ૦ શ્રી વિજયકસ્તૂરસૂરિજી. જે પેાતાના હૃદયના અનુવાદ ન કરી શકે, તે બીજાના હૃદયના અનુવાદને અનુવાદ કેવી રીતે કરી શકે ? સારા સારા અનુભવી મહાપુરુષા કહેતા આવ્યા છે કે સ’સાર એક પ્રકારની નાટ્યશાળા છે. અને તેમાં પ્રાણીમાત્ર પાત્ર-એકટરા છે. તે પાતપેાતાનું નાટક ભજવી રહ્યા છે. આ નાટ્યશાળામાં નાટક કરનારાઓને વ્યવસ્થાપક-મેનેજર મેાહનીય કર્યું છે. આ પ્રમાણે કહેવાય છે, વંચાય છે અને ઉપદેશાય છે. આ વાત અનુભવસિદ્ધ-તદ્દન સાચી જ છે; જેમકે, ઘાંચી, મેાચી, તરગાળા, મુસલમાન, બ્રાહ્મણું, કુંભાર, કાળી, વાણીયા, ઢેડ, વાઘરી ખધાયે ભેગા થઇને એક મંડળી-નાટક કંપની ઊભી કરે છે. પછી ભર્તૃહરી આદિ રાજા મહારાજાએનુ નાટક ભજવે છે. તેમાં પિતા, પુત્ર, શ્રી, પુત્રી, બહેન, માતા, કાકા, ભત્રીજો, શત્રુ, મિત્ર આદિ સ ખ ધેાથી જોડાઈ જાય છે, અને એવા પ્રકારના ભાવે ભજવી ખતાવે છે કે જોનારને સારામાં સારી અસર થાય છે. જાણે સાચા જ સંબંધી હાય તેવું જણાય છે, પણ નાટક પૂરું થાય છે એટલે બધાય પાત પેાતાના વસ્રોડ્રેસા કાઢી નાંખીને કિનારે મૂકે છે કે તરત જ પાછા મેાચીના મેચી અને ઘાંચીના ઘાંચી, પાછા હતા તે રૂપમાં ફેરવાઇ જાય છે અને માતા પિતા પુત્ર આદિના સંબધ જેવુ કશુંયે રહેતું નથી. નાટકના જુદા જુદા ખેલેામાં એકમાં માતા હાય તે બીજામાં સ્રી, અને સ્ત્રી અની હાય For Private And Personal Use Only
SR No.531488
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy