SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481 - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) . 103 02 શ્લોકપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાર્યોકૃત અનેક ગ્રંથોમાંથી દેહન કરી શ્રીમાન અમચંદ્રસુરિજીએ રચેલા આ અપૂર્વ ગ્રંથ છે. રચનાર મહામાની કવિત્વશક્તિ અદભૂત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસ, અલંકાર, શબ્યુલાલિત્ય વગેરેથી રચના ધણી જ સુ દર છે. તેનું આ સાદું, સરલ અને સુંદર ગુજરાતી ભાષાંતર છે. - આ ગ્રંથમાં પ્રભુના તેર ભા તથા યુગલિકા સંબંધી અપૂર્વ વણ'ન, આ ચાવીસીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાથી મનુષ્યને . વ્યવહારધમ, શિલ્પકળા, લોકવ્યવહારનું નિરુ પણ, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇંદ્રો વગેરે એ પ્રભુના પંચ કલ્યાણકના પ્રસ'ગાએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહોત્સવાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બાધપ્રદ કથાઓ વગેરે અનેક વિષયા ઘણા વિસ્તારપૂર્વક આવેલા છે. આ ગ્રંથની કૃતિ આંતરિક જેમ ઉત્તમોત્તમ છે, તેમ બાહ્ય સુંદરતામાં આ ગ્રંથમાં વિવિધ ૨'ગની છબીઓ જેવી કેઃ—(૧) શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજનીતે પાંચ રંગામાં સુશોભિત કે જે ગ્રંથ ઉધાડતાં પ્રથમ ગુરુદર્શન થાય છે, (2) આર્થિક સહાય કરનાર દાનવીર નરરત્ન રાવસાહેબ શેઠશ્રી કાન્તિલાલભાઈ ઈશ્વરલાલ જે. પી.ની છબી જોતાં તેમની સખાવતા માટે અનુમોદન કરવું પડે છે, ( 8 ) પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થસ્થાપન કરે છે તે વખતની પ્રભુ સાથે ગૌમુખ યક્ષ અને ચકેશ્વરી શાસનદેવીની પાંચ રંગની છબીના દર્શન કરતાં આત્માને અનહદ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ( 4 ) પરમપવિત્ર શ્રી શત્રુંજયગિરિ તીર્થની સુંદર છમી દર્શનના અભિલાષીઓના આત્માને શાંતિ આપે છે, (5) શ્રી અષ્ટાપદ્ર પર્વત ઉપર 'પ્રભુ માફમાં પધારે છે તે વખતની અનેક રંગમાં તૈયાર કરેલી ભવ્ય, સુંદર, શુકુલધ્યાનારૂઢ, સૌમ્ય, શીતલ મૂત્તિના દર્શન કરતાં આત્માને શીતળતા અને અપૂવ શાંતિ પ્રાપ્ત થાય છે, તેમજ ( 6 ) પૂઠા ઉપર પવિત્ર શ્રી શત્રુંજય તીથની સુંદર છબી બે રંગમાં બનાવી બાહ્ય રચના કરી ગ્રંથની ગૌરવતામાં એાર વૃદ્ધિ કરી છે. પુસ્તક હાથમાં લેતાં પ્રથમ શત્રુંજય તીર્થનું દશ”ન થાય છે. ઉપરોક્ત બંને પ્રકારની સુંદરતા કરવામાં માટે ખર્ચ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલા કોઈ પણ ગ્રંથપ્રકાશનમાં આ ગ્રંથમાં આવેલાં સુંદર ચિત્રા કરતાં વધુ સુંદર હજુ સુધી આવેલા નથી અને તે માટે આવા સુપ્ત મોધવારીના સમયમાં ઘણા માટે ખર્ચ થવા છતાં વ્યાપારીદષ્ટિ નહિ રાખતાં બહાળા પ્રચારની અપેક્ષા રાખી છે, તે અંય જોવાથી માલુમ પડે તેવું’ છે. એકંદરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મનનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં કે નિરંતર ઉપયોગ કરવા યોગ્ય છે, જેને માટે વિશેષ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફેમ, ક્રાઉન આઠપેજી ચાર પાનાંને આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલ'કૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 5-0-0 પાસેટેજ અલગ, For Envala And કા - 1 : યાકાળ. વાહનવાઝ
SR No.531480
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy