SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ ઘમ શર્માલ્યુદય મહાકાવ્ય : અનુવાદ સ્વલાભ પામી બહુધાન્ય અર્થ, નિમ્લતા જે ઘનનીરસત્વ; નિષ્પક તે સંસદ સજની, શરદ્દ શી મેઘ ક્ષીણુતા કરોની ! અભિધેય : આમલધુતા નિવેદન આકાશ છેડાની પરીક્ષણથી, વા અબુરાશિની વિલંઘનાથી; વિશેષ કે આ જિનનું ચરિત્ર, જે મંદધી હુંથી કથાય અત્ર. (અથવા) પુરાણપારંગત સૂરિઓની, વાથી ગતિ હારી ય “હા” થવાની, ઊંચે ય નિશ્રેણીવડે જવાની, ઈચ્છા ફળે વામનની જુની! તેથી કશું પૂછું છતાં પવિત્ર, સ્વશક્તિથી ધર્મતણું ચરિત્ર, સમ્યપણે આ જિનનું સુવ્રત, વાદેવી યે વર્ણવવા ન શક્ત. ૧૦. અહીં શલેષાત્મક વિશેષણોથી શરદ્દ અને સંતમંડલીનું સામ્ય સિદ્ધ કર્યું છે. (સમાસેક્તિ અલંકાર ) અત્ર શ્લેષ નીચે પ્રમાણે ઘટાવવા– જેમ શર બહુધાન્ય અર્થ (બહુધાન્ય અર્થ) બહુ ધાન્યને અર્થે આત્મલાભ પામે છે (પિતાનું આગમન પામે છે, એટલે કે શરદ્દનું આગમન બહુ ધાન્યની વૃદ્ધિ અર્થે હોય છે, તેમ સંતમંડલી બહુ ધાન્ય અર્થ (બહુધાઅન્ય+અર્થ -બહુ પ્રકારે બીજાને અર્થે આત્મલાભ (પિતાને લાભ) પામે છે, એટલે કે સંતનો પિતાનો લાભ તે બીજાને માટે હોય છે. જેમ શરદ્દ ઘનનીરત્વ (ઘનનીર+સત્વ)=મેઘ જલના અસ્તિત્વનું નિર્મૂલન કરે છે, તેમ સંત ઘનનીરસવ (ઘન+નીરસત્વ)=અત્યંત નીરસતાનું નિર્મૂલન કરે છે. શરદ નિષ્પક (કાદવ વિનાની હોય છે તેમ સંતસંસદુ નિપંક ( અતરંગ મલ વિનાનું) હેય છે. એવી શરદ મેઘ દૂર કરે તેમ સંતમંડલી મેડ–મહારાં પાપ દૂર કરે ! ૧૧. જે જિનનું ચરિત્ર હું મંદમતિથી અત્રે કહેવામાં આવે છે તે આકાશના છેડાની પરીક્ષા કરવા કરતાં અથવા સાગરનું ઉલ્લંઘન કરવા કરતાં પણ કંઈક અધિક છે. કદાચ આકાશનો છે આવે કે સમુદ્રને પાર પમાય, પણ આ ચરિત્રનો પાર ને આવે. ઉપમાન કરતાં ઉપમેયનું આધિક હેઈ અને વ્યતિરેક અલંકાર છે. સરખા :-- તિતીર્તુત મોટ્ટાયુનારિમ સારા' કાલિદાસ-રઘુવંશ, સર્ગ ૧. ૧૨. અથવા તો પુરાણને પાર પામેલા પૂર્વસૂરિઓની વાણીવડે કરીને, પ્રસ્તુત કાર્યમાં મારી પણ ગતિ થશે, તે માટે અત્ર દષ્ટાંત આપે છે કે – નિસરણઆવડે ઊંચે જવાને પણ વામનની મનોભિલાષ સિદ્ધ થાય છે. અહીં બિંબપ્રતિબિંબ ભાવ આ પ્રમાણે સમજ: કવિ=નામન; ઊંચું જવું=આવું ચરિત્રગ્રંથન; નિસરણુ=પૂર્વસૂરિઓની કુતિ. આ થકમાં કવિએ પિતાનું અત્યંત લઘુત્વ દર્શાવ્યું છે. સરખા આને મળતે શ્રીકાલિદાસનો ભાવ " अथवा कृतवारद्वारे वंशेऽस्मिन्पूर्वसूरिभिः ।। મને વસમુળે સૂત્રવારિત છે અતિઃ |-રઘુવંશ, સર્ગ ૧. ૧૩. કવિ કહે છે કે આવું વિકટ કાર્ય મેં હાથ ધર્યું છે તેથી મને કંપ-મનક્ષેભ થાય For Private And Personal Use Only
SR No.531424
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy