SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 20 પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ અધ્યાત્મ શકિતના લાભ તેના ભૌતિક તથા આધ્યાત્મિક જીવનનો સિદ્ધાંત છે. પેાતામાં સારી ટેવા કળવા, પેાતાને નિયમઅદ્દ બનાવે. પછી અધ્યાત્મબળ કે ચરિત્રબળ આપોઆપ આવી જશે. હવે કેટલીક ટવા તથા જીવનના સાધારણ નિયમા વાચકા સમક્ષ રજૂ કરવામાં આવે છે કે જે મનુષ્યના જીવનને સુખી બનાવવધુમાં તથા આધ્યાત્મિક બળ વધારવામાં ખૂબ મદદ કરે છે. સૌથી પહેલાં બ્રાહ્મ મુત્તમાં ઊઠવાના નિયમ રાખવા. સૂર્યોદય પહેલાં બે કલાકે માણસેગ્મે પેાતાની પથારીમાંથી ઊઠવું જોઇએ. આ બ્રાહ્મ મુક્તમાં ઊઠવાના નિયમનું એટલું રહસ્ય છે કે જે તેનું પાલન કરશે તે પોતાનું જીવન સફળ બનાવવામાં તથા પેાતાનું માનસિક બળ વધારવામાં બહુ જ ઉદ્યોગપરાયણ રહેશે. જે મનુષ્ય એ વખતે ઊઠે છે તેને પોતાની ઉન્નતિ કે અવનતિ પર વિચાર કરવાની તક મળે છે. આત્મા એ જ આત્માને શત્રુ છે અને આત્મા એ જ આત્માના અ છે. જે પોતે પોતાની જાતને કલ્યાણ માર્ગે નથી લઇ જતા તેને બીજો કાણુ લઇ જવાના હતા ? જે સમયે વધારે માજીસા સૂતા હાય છે અને વાતાવરણ શાંત હોય છે તે સમય અધ્યાત્મવિચાર માટે ધણા જ અનુકૂળ છે, સૂર્યોદય પહેલાં ઊઠવાથી મનુષ્યે! પેાતાની દિનચર્યાં સારી રીતે કરી શકે છે. આપણે સ'સારના મહાન પુરુષોના જીવનચિરત્ર જાણવાના પ્રયત્ન કરીએ તે આપણુને જણાશે કે તે બધા આ નિયમ બરાબર પાળતા હતા. શેરશાહ એક સાધારણ જમાદાર હતા. તેણે દિલ્હીની શહેનશાહત પણ પેાતાની યાગ્યતાથી પ્રાપ્ત કરી અને અનેક લેાકેાપયેગી કાર્યો કર્યો. તેની દિનચયા તપાસતાં આપણને તેની અસાધારણ ઉન્નતિનુ કારણ પ્રત્યક્ષ માલૂમ પડે છે. તે હંમેશાં સૂર્યોદય પહેલાં ત્રણ કલાકે ઊઠતા અને પ્રભુપ્રાર્થના વગેરે કરીને પેાતાના હુમેશના કાર્યમાં જોડાઇ જતા હતા. આપણા સધળા ષિમુનિયા, મહાપુરુષો એ પ્રમાણે જ કરતા હતા. સવારે વ્હેલા ઊઠવાના નિયમનુ એટલુ જ મહત્ત્વ નથી પણ એનું મહત્ત્વ એટલા માટે પ છે કે તેનાથી આપણુા આખા દિવસનું સમસ્ત જીવન નિયમબદ્ધ થઇ જાય છે. દરેક મનુષ્ય કાર્યો તે કરે છે જ, કેમકે કુદરત કાઇને એકાર એસવા નથી દેતી, પરંતુ કાય કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે કે પરત ત્ર તે તેની માનસિક શક્તિ જ બતાવી શકે છે. જે મનુષ્ય પોતાના કર્તવ્યને નિણૅય કાર્ય શરૂ કર્યો પહેલાં જ કરી લે છે તે મનુષ્ય આપૃાત્મિક સ્વત ંત્રતાનું સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ જેને કબ્યા નિય કર્યાં વગર કાર્યમાં પ્રવેશ કરવા પડે છે તે હંમેશા માનસિક ગુલામીની સ્થિતિમાં રહે છે. તેને જીવન ભારરૂપ લાગે છે, પોતાના બનાવેલા નિયમ પ્રમાણે ચાલવુ તેમાં જ સુખ છે, એમાં જ આનંદ છે, તેને બીજાના બનાવેલા નિયમ પ્રમાણે ચાલવું તેમાં દુ:ખ છે. જે માણુસા નિયમબદ્ધતાથી જીવન વ્યતીત કરવા ઇચ્છે છે તેને માટે બ્રાહ્મ મુત્ત માં ઊઠવું અત્યંત આવશ્યક છે, કેમકે એ એક નિયમ ખીજા બધા નિયમેાનુ પાલન કરવાની શક્તિ આપે છે. પ્રકૃતિ આપણને હંમેશાં તમસની તરફ ખેંચી જાય છે. આળસ મનની એવી સ્થિતિ છે કે જ્યારે તે આધ્યાત્મશકિતથી વ્યુત રહે છે. ચૈતન્યના ઉદ્દય થતાં જ આળસના લેપ થઈ જાય છે. ચૈતન્યની વૃદ્ધિ આળસ પર વિજય પ્રાપ્ત કરવાથી જ થાય છે. એ બન્ને એક જ છે. '; જે રીતે દિવસ શરૂ થાય છે. તેવી રીતે જ સમાપ્ત થાય છે. અંગ્રેજીમાં હેવત કે સારી રીતે શરૂ કરેલુ કાર્ય " સમાપ્ત થયું ગણાય છે,” જે મનુષ્યનું જીવન નિયમબદ્ધતાથી શરૂ થાય છે For Private And Personal Use Only
SR No.531424
Book TitleAtmanand Prakash Pustak 036 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1938
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy