SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ શ્રી આમાનંદ પ્રકાશ. અને અસ્તિત્વ એ જીવનની વિશિષ્ટતા હોઇને, ઇશ્વર એટલે અસ્તિત્વમાન પરમ આત્મા એવો અર્થ નિપન્ન થાય છે. સર્વ શાસ્ત્રમાં ઈશ્વરનાં અસ્તિત્વને સ્વીકાર પ્રાયઃ થાય છે. ઈશ્વર એટલે ચિતન્ય. ઈશ્વર એટલે જીવનની પ્રતિમૂર્તિ, પારસીઓમાં ઈશ્વરનું એક નામ “અહમી' છે. અહમી એટલે “ હું છું’ એવો અર્થ થાય છે. “ અહમી યત અહમી ” ( હું છું તે ) એ વાક્યથી પરમાત્માનાં સ્વરૂપ ઉપર સુંદર પ્રકાશ પડી શકે છે. ઈશ્વરના અસ્તિત્વ આદિના સંબંધમાં ઈશ્વરવાચક અનેક શબ્દોથી આમ અનેક રીતે આવિષ્કાર થાય છે. ઈશ્વરની વિદ્યમાનના, મહત્તા આદિનું તેથી સુંદર નિદર્શન થઈ શકે છે. ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ વિચારતાં “ હું છું તે શું ? એવું પરમાત્માનું સ્વરૂપ જણાય છે. પરમાત્માએ મેઝીઝને પિતાનાં સ્વરૂપનું નિદર્શન એ રીતે જ કર્યું હતું ( Exodus, II 147 ) તે પછી મેઝીઝને ઈઝરાઈલ પ્રદેશમાં પરમાત્મા તરફથી મેકલવામાં આવ્યા હતા સામામિ એ સૂત્રથી પરમાત્માનાં સ્વરૂપ વિષયક હિન્દુ ધર્મની માન્યતા વ્યક્ત થાય છે. સોડમાંમ એટલે “હું તે શું કામ મf (“ હું જે છું તે છું ”) એ વાકયથી પણ પરમાત્માનાં સ્વરૂપ સંબંધી હિન્દુ ધર્મનાં મંતવ્યને યથાર્થ ભાવ આવી શકે છે. જીસસ કાઈ આબ્રાહામનાં અસ્તિત્વ પહેલાં પિતાનાં અસ્તિત્વનું સૂચન કરવા નિમિત્તે પોતાનાં જીવનનો નિર્દેશ કરતાં ‘હું છું” એ શબ્દ વાપર્યા હતા. પરમાત્માના આ પ્રમાણે ઘણા ઘણા અર્થો આપણે જોયા. પરમાત્માનાં સ્વરૂપ સંબંધી આપણે જુદાં જુદાં દૃષ્ટિબિંદુએથી વિચારણા પણ કરી, પણ એ સર્વમાં પરમાત્મા સૃષ્ટિને કર્તા હોય એવું કોઈ રીતે નિપન્ન નથી થતું. - ૨ સ્થાપના નિક્ષેપનું લક્ષણ –વાસ્તવિક અર્થથી શન્ય તેમજ નબુદ્ધિથી તેના જેવા આકાર કે અનાકારરૂપે અન્ય પદાર્થોમાં તેનો આરોપ કરવો તે ૩ દ્રવ્ય નિક્ષેપનું લક્ષણ- ભૂત તેમજ ભવિયના કારણને અથવા અત્યારે વિદ્યમાન પરંતુ ભૂત, ભવિષ્યના પરિણામની મતા તે ૪ ભાવ નિક્ષેપનું લક્ષણ-વિવક્ષત ક્રિયાના અનુભવથી યુકત જે જે ક્રિયાથી વિવક્ષા કરવામાં આવે તે તે ક્રિયાના અનુભવ સહિત જે જે હોય તે તે અપેક્ષા તે ભાવનું લક્ષણ. ( કમીટી ) * Isis Unveiled, Vol. II, page 221; A vesta, XVII, 420. + Isa yasya upanishad, 16. † See The Fountain - Head of Religion' by Gangaprasad For Private And Personal Use Only
SR No.531395
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy