________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આમાનંદ પ્રકાશ.
આત્મા સમાન જીવ સર્વ નહિં જ જાણ્યા,
ખોટા ખરેખર ઉરે અભિમાન આણ્યા; જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દારા,
સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. ૪. મદ્યાદિપાન પણ કઈક જન્મ કીધાં,
સગ્રંથદાન નહિ કઈક કાળ દીધા; દુર્ભક્ષભક્ષ કરી કાળ વહ્યા નઠારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૫. સેવ્યા ન સજજનતણું સુખદ પ્રસંગ,
સેવ્યા અસજજન જનો ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાનદશાથી પ્યારા,
સર્વા પરાધ પ્રભુ! માફ કરો હમારા, ૬. મેહસ્વરૂપ મધુમાં મધમાખ થઈને,
ચોટયું મલીન મન વારંવાર જઈને; દેખ્યા જરૂર દુઃખના અતિ કષ્ટભારા,
સર્વાપરાધ પ્રભુ ! માફ કરે હમારા. ૭. દુષ્કર્મ પાશ મુજને દઢ રીત લાગે,
એથી અગ્ય પથને નથી નાથ ! ત્યા; પાશપ્રહાર સહુના દુઃખ આપનારા,
સવપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૮. સંસારજાળ તજી હાય લીધી તમારી,
એ આપદા અખિલ નક્કી જ ઘ વિદારી; છે આ૫ નિર્ભયશિરે કર સ્થાપનારા,
સર્વાપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૯. આ જીવરૂપ મીન જ્ઞાનસ્વરૂપ વારિ,
વિના બહુ તલસતું પણ તે તમારી; લઈને થયું અજિત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૧૦.
For Private And Personal Use Only