SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ શ્રી આત્માનંદ પ્રકાશ. ૮. પદસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પૂછયા સિવાય દીક્ષા આપવી નહિ. ૨ દેવદ્રવ્ય ૧. દેવદ્રવ્ય-જિનચૈત્ય તથા જિનામૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય. ૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. - ૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. ૪. શ્રાવકોએ પિતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેને લાભ લેવો જ જોઈએ, પરંતુ કઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજ આદિમાં વાંધે આવતે જણાય તે દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજ આદિને પ્રબંધ કરી લે; પણ પ્રભુની પૂજા આદિ તો જરૂર જ થવી જોઈએ. ૫. તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલ્કત રાખી, બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ. એમ આ સંમેલન ભલામણ કરે છે. . ૩ સંઘ ૧. શ્રમણપ્રધાને જે સંધ તે “શ્રમણુસંધ” એટલે સાધુ છે પ્રધાન જેમાં એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ તે “શ્રમણુસંધ.” ૨. શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મુખ્ય સત્તા છે . સકલસંધ” શ્રાવકસંધની શ્રાવક-શ્રાવિકાના સમુદાય ઉપર શાસનગુનાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે, પણ શ્રાવકસંઘે સાધુસાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા સમાન, ભાઈ સમાન અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું યોગ્ય છે. સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંઘાડાના વડીલની કુલ સત્તા છે. કારણ વિશેષે આચાર્ય અગર સંઘાડાના વડીલની આજ્ઞાથી શ્રાવકસંઘ તે સંઘાડાના સાધુ-સાધવી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે. તેમજ કોઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે છે તે સમયે શ્રાવકસંધ ઉચિત કરી શકે છે, પણ આનો દુરૂપયોગ થવો ન જોઈએ. ૪ સાધુઓની પવિત્રતા સંબંધી ૧. સંઘાડાના વડીલે પિતાના સંધાડામાંનાં સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષરૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા. ૨. એક સમુદાયને સાધુ બીજા સમુદાયમાં જાય તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખવો નહિ, કેવળ અભ્યાસ કરાવી શકાય, ૩. જે સાધુને વડીલ કે ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળો રાખી શકે. [ ઉપરની બન્નેય કલમો સાધ્વીજીને પણ લાગુ થઈ શકે છે.] For Private And Personal Use Only
SR No.531367
Book TitleAtmanand Prakash Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1933
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy