SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનનું રહસ્ય. ૧૭ મન એક વખત વિષય-સુખના આસ્વાદન કરે છે, તો તે વિષયની પાછળ જ દોડયા કરે છે. સતત સદ્દવિચાર તથા સદ્ભાવનાઓ વડે જ મનને વાસનાત્મક વિચારા તથા લેાભાવનારી પ્રવૃત્તિઓથી પાછા હઠાવી શકાય છે. માનસિક ભાવનાઆવડે ફરી ફરી જગાડીને મનને સમજાવે કે ઇન્દ્રિય-સુખ મિથ્યા છે, વ્ય છે, માયામય છે અને કષ્ટપ્રદ છે. મનની સમક્ષ આધ્યાત્મિક જીવનના લાભ, આનંદ, શકિત તથા જ્ઞાન ઉપસ્થિત કરી તેને સમજાવે કે ઉન્નત અને નિત્ય જીવન અમર આત્મામાં રહેલું છે. જ્યારે મન એ પ્રકારના ઉપયેગી ઉપદેશ સાંભળે છે ત્યારે તે પેાતાને જીનેા અભ્યાસ તજી દે છે. નાસિકા સાત્વિક અશમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે ઓછી નુકશાન કારક છે. પ્રાણેન્દ્રિય અને પ્રાણતત્તુ તમને વધારે ઉદ્વિગ્ન નથી કરતા. તેઓને ઘણીજ સહેલાઇથી વશ કરી શકાય છે. જીન્હા તથા ઉપસ્થ જલ-તમાત્રાથી ઉસન્ન થાય છે. એ મને હુના છે. આહાર ( રસના ) બીજી ઇન્દ્રિયાને દૃઢ કરે છે. જો તમે રસનેન્દ્રિય (જીભ) ને વશ કરી શકશે। તા બાકીની ઇન્દ્રિયાને તમે ઘણી જ સહેલાઈથી વશ કરી શકશે. સાથી વધારે બાધક ઇન્દ્રિય ઉપસ્થ છે. તે પછી ખીન્ને નંબર જીભને છે, પછી વાણીના, તે પછી કાનના અને છેલ્લા આંખને, આંખ તથા પગ તૈજસ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને ઇન્દ્રિયા હૅના છે. આંખ દશ્ય વસ્તુ જોવા ઈચ્છે છે અને પગ કહે હું તને તી - સ્થાનામાં લઇ જવા તૈયાર છું, માટે ચાલે. ’ 6 : ચામડી અને હાથ વાયુ-તન્માત્રાના બનેલા છે. એ બન્ને પણ હેંના છે. ચામડી કહે છે કે ‘હું રેશમી કેમળ વસ્ત્રો પહેરવાનું સુખ ભાગવવા ઇચ્છુ છુ” હાથ જવાબ આપે છે કે “ વ્હાલી છ્હેન, મુઝાએ મા, હું તમારા માટે સુંદર સુવાળુ રેશમ લાવી આપીશ. ” વાણી અને કાન એક જ આકાશ-તન્માત્રાથી ઉત્પન્ન થયેલા છે. એ ઇન્દ્રિયા પણ એક માની દીકરી છે. એ પેાતાના પ્રાકૃતિક કા નિર્વાહમાં એક બીજાને મદદ આપે છે. મન અને ઇન્દ્રિયા જુદા જ છે. પણ મનનુ વિશદીકરણ ઇન્દ્રિચામાં થાય છે, મન ઇન્દ્રિયયુકત પુરૂષ છે. ઘનીભૂત ઇન્દ્રિયા જ મન છે. ઇન્દ્રિયે મનની વ્યક્તાવસ્થાઓ છે, તેઆ મનના સ્વરૂપની જ અભિવ્યકા છે. મનમાં આસ્વાદનની અભિલાષા જીભ, દાંત તથા પેટના રૂપમાં વ્યકત થાય છે. મનમાં ચાલવાની ઈચ્છા પગના રૂપમાં પ્રકટ થાય છે. જો તમે મન વશ કરી શકે। તા ઇન્દ્રિયાને For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy