________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઇફ મેમ્બર. કોઇપણ વેતામ્બર મર્તિપૂજક જૈન આ સભામાં સભાસદ તરીકે દાખલ થઈ શકે છે. એક સાથે રૂાપ૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટ્રન (માનવંતા મુરબ્બી) થઈ શકશે. એક સાથે રૂ. ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. એક સાથે ૫૦) આપનાર બીજા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે.
જેન લાઇબ્રેરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થવા માગે છે ? પ૦) ભરવાથી બીજા વર્ગના લાઈફ મેંબરોના હક્ક ભોગવી શકશે.
પહેલા વર્ગના લાઈફ મેમ્બરોને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માનંદ પ્રકાશ માસિક તેમની જીંદગી સુધી ભેટ આપવામાં આવશે.
બીજા વર્ગનાં લાઇફ મેમ્બરને સભા તરફથી પ્રકાશિત થતા બે રૂપીઆની કિંમત સુધીના દરેક ગ્રંથની એક એક નકલ ભેટ આપવામાં આવશે, તેમજ આમાનંદપ્રકાશ માસિક પણ તેમની જીંદગી સુધી ભેટ મળશે.
- =-- =
આત્માનંદ પ્રકાશ. ઉપરોક્ત માસિક સભા તરફથી છવીસ વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધાર્મિક, ઐતિહાસિક, સામાજીક અને નૈતિક ઉપરાંત સ્ત્રી કેળવણી અને વિદ્યાથી વિભાગ વાંચનના લેખે પણ આવે છે, કે જેથી સ્ત્રી જતિનું ગૌરવ તેમનું માતા તરીકેનું સ્થાન અને બાળકોને ઉત્તમ સંસ્કાર કેમ આપી શકાય ? તે તથા સમાજની ભાવિ ઉન્નતિમાં સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ કેમ આદર્શ બને તે માટે ઉત્તમ લેખા આપવામાં આવે છે. જેથી વાંચન માટે સમાજની રૂચી વધતા તે માટે અનેક પ્રશંસાના પત્રો આવેલ છે. મંગાવી ખાત્રી કરો !
વાર્ષિક લવાજમ ૩ ૧-૪-૦૦ વાષક ભેટનું સુંદર દળદાર પુસ્તક તથા પંચાંગ ભેટ આપવામાં આવે છે.
પુસ્તક પ્રકાશન ખાતું. આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાલુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીદી વિગેરે પુસ્તકોની સાહિત્યરસીક સાક્ષર મુક્તકંઠ પ્રશંસા કરે છે, જેથી તેનો લાભ લેવા ન ચુકશે, નફે જ્ઞાનખાતામાં જાય છે. સીરીઝ સિવાયના અન્ય ગ્રંથ પડત કિંમતે આપવામાં આવે છે.
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
For Private And Personal Use Only