SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શી આત્માનંદ પ્રકારો - શ્રી વિવિધ પૂજા સંગ્રહ-ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરિ, મુનિરાજી હંસવિજયજી મહારાજ અને આચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરિ મહારાજ કૃત સુંદર રાગ રાગિણીથી બનેલી શાસ્ત્રા સુંદર મેટા ટાઈપ સારા કાગળ સુંદર બાઈડીંગથી તૈયાર થયેલ આ બુક શ્રી હંસવિજયજી જૈન ક્રી લાઈબ્રેરી અમદાવાદ તરફથી હાલમાં પ્રગટ થયેલ છે. તેની ઉપગીતા અને લેકરૂચી કેટલી છે તે તેની આ અગીયારમી આવૃતિ પ્રગટ થયેલ ઉપરથી જણાય છે. કિંમત રૂા. ૧-૧૦-૦ મળવાનું સ્થળ લુણાવાડા-અમદાવાદ. - શ્રી મહાવીર જીવન રેખા-લેખક મુનિશ્રી હર્ષચંદ્રજી. પ્રકાશક –શ્રી જૈન સસ્તુ સાહિત્ય પ્રચારક કાર્યાલય કલોલ. કિંમત ત્રણ આના. શ્રી વીર પ્રભુના નયસારના ભવથી લઈ શ્રી મહાવીર પ્રભુના ભવ સુધીનું ટુંકામાં ચરિત્ર આ બુકમાં આલેખ્યું છે. સાથે ગૌતમ સુહની સંક્ષેપ હકીક્ત અને વીર પ્રભુ, ગોશાળ અને શાકયપુત્રનું અંતર બતાવવામાં આવ્યું છે. પ્રયત્ન સારો કર્યો છે. માત્ર પૂજા કળશાદિ સંગ્રહ-પ્રગટ કર્તા માસ્તર પોપટલાલ સાકરચંદ ભાવનગર. અષ્ટપ્રકારી, શ્રી નવપદજી, શ્રી સતરભેદી પૂજા અને તેની વિધિઓ, આરતીઓ, સ્નાત્ર પૂજા તથા વિધિ, કળશ, અને તેની વિધિ, અષ્ટોતરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર, ગૃહશાંતિ, નવસ્મરણ, સંસ્કૃત ચૈત્યવંદન, સ્તવને સ્તુતિઓ, કુંભ સ્થાપન વગેરેને સંગ્રહ આ બુકમાં આપેલ છે. જે ઉપયોગી કહી શકાય. કિંમત રૂા. ૧-૪-૦ આત્મબોધ-પ્રસિદ્ધ કર્તા વાડીલાલ કાકુભાઇ સારંગપુર તળીયાની પોળ-અમદાવાદ કિંમત સદુપયોગ. બાર ભાવનાનું ટુંક સ્વરૂપતથા થોડીકસજઝાયાને સંગ્રહ આપવામાં આવેલ છે. તરૂણ જેન:-પત્રિકા પ્રથમ તથા બીજી પ્રકાશક શ્રી વિજયધમ પ્રકાશક સભા પત્રિકા કમીટી ભાવનગર-ધીમે પગલે આગળ વધતી આ સંસ્થાનો તે માંહેના સભ્યોને જૈન સમાજની આધુનિક સ્થિતિ માટે પોતાના વિચાર પ્રકટ કરવાનો આ એક નવો પ્રયત્ન છે. પત્રિકા, માસિક કે પેપરને જન્મ આપવો તે સહેલ છે, પરંતુ તેને નિષ્પક્ષપાતપણે ચલાવવું કે ટકાવી રાખવું તે મુશ્કેલીભર્યું કાર્ય છે. પ્રકાશક તેને ખ્યાલ રાખી પિતાનું આ કાર્ય આગળ ચલાવે અને તેની ભવિષ્યમાં આબાદિ થાય તેમ ઈચ્છીએ છીએ. ૧ રીપોટર–શ્રી સિદ્ધક્ષેત્ર શ્રી વર્ધમાન તપ, આંબેલ ખાતાનો ત્રીજો રીપોર્ટ અને હિસાબ. પ્રકાશક:–શાહ લાલચંદ લીલાધર. આવું ખાતું દરેક શહેર યા ગામમાં જરૂરીયાતવાળું છે. આ ખાતાની વજનદાર ગૃહસ્થની ટ્રસ્ટી અને સભ્ય તરીકેની મનોક થયેલી છે તેથી તે વિશ્વાસપાત્રજ ગણી શકાય. હિસાબ ચોખવટવાળો છે. હાલના મુખ્ય કાર્ય કરનાર ગૃહ થયેલ હોવાથી તેમણે કે ટ્રસ્ટીઓ કે કમીટીએ બીજા સેવાભાવી બંધુની તૈયાર થવા સાથે માણે. તગાર થવા નિમક કરવા જરૂર છે. મદદ કરવા લાયક ખાતું છે. ભવિષ્યમાં તેની આબાદી છીએ છીએ. For Private And Personal Use Only
SR No.531307
Book TitleAtmanand Prakash Pustak 026 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1928
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy